વિધાનસભા પહોંચેલા વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પાટીદાર પરના કેસ અંગે એક મોટું નિવેદન આપ્યું
પાટીદાર પરના કેસ અંગે હાર્દિક પટેલનું નિવેદન
પાટીદાર પર થયેલા કેસ અંગે કઇ નિર્ણય લેવાશેઃ હાર્દિક પટેલ
ઋષિકેશ પટેલ સાથે આ અંગે વાતચીત કરી છેઃ હાર્દિક પટેલ
કાયદાની પક્રિયામાં રહી આગળ કાર્યવાહી કરવામાં આવશેઃ હાર્દિક પટેલ
અમે જ સરકાર અને અમે જ વિપક્ષની ભુમિકા નિભાવીશુઃ હાર્દિક પટેલ
ગુજરાત વિધાનસભામાં આજે તમામ ધારાસભ્યોની શપથવિધિ છે. આ દરમ્યાન વિધાનસભા પહોંચેલા વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે એક મોટું નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલે પાટીદારો ઉપર થયેલા કેસોને લઈ નિવેદન આપતા કહ્યું હતું કે, થોડાક સમય પહેલા જ મારે ઋષિકેશ પટેલ સાથે વાત થઈ છે. કાયદાની પ્રક્રિયામાં રહી ને આ અંગે કાર્યવાહી કરવામાં આવશે.
શું કહ્યું હાર્દિક પટેલે ?
હાર્દિક પટેલે કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ પાટીદાર પર થયેલા કેસ અંગે કઇ નિર્ણય લેવાશે. આ માટે મારે તાજેતરમાં જ ઋષિકેશ પટેલ સાથે વાતચીત થઈ છે. કાયદાની પ્રક્રિયામાં રહી ને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
વિપક્ષની ભૂમિકામાં પણ અમે જ: હાર્દિક પટેલ
હાર્દિક પટેલે કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં હાલ અમે જ સરકાર અને અમે જ વિપક્ષની ભુમિકા નિભાવીશું. વિધાનસભા સત્ર અંગે હાર્દિકે કહ્યું કે, અત્યારે વિરોધ પક્ષની ભૂમિકા નથી. અમે જ સરકાર અને અમે જ વિપક્ષની ભૂમિકા નિભાવીશું. આ સાથે ઉમેર્યું હતું કે, સત્તાની સાથે રહીને લોકસેવા કરશું.
મુખ્યમંત્રી-મંત્રીમંડળ બાદ હવે તમામ ધારાસભ્યોની શપથવિધિ
ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથગ્રહણ કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0 ના નવા મંત્રીમંડળે પણ શપથ ગ્રહણ કર્યા હતા. જે બાદમાં હવે આજે ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસસભામાં તમામ ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે. એટલે કે, આજે ભાજપ, કોંગ્રેસ, આપ અને અન્ય પક્ષોના ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે.
આવતીકાલે વિધાનસભાનું એક દિવસીય સત્ર
આ તરફ આજે ગુજરાત વિધાનસભામાં તમામ ધારાસભ્યોની શપથવિધિ બાદ હવે આવતીકાલે એક દિવસીય વિધાનસભાનું સત્ર મળશે. આ એક દિવસીય સત્રમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંબોધન કરશે. આ સાથે આવતીકાલે મળનારા એક દિવસીય સત્રમાં વિધાનસભાના અધ્યક્ષ-ઉપાધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે.