હાર્દિક પટેલ દાહોદના કાર્યક્રમ સ્થળ પર ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલને લઈને પણ મહત્વનું નિવેદન કર્યું છે. જેમાં હાર્દિકે નરેશ પટેલે જલ્દી જ નિર્ણય લઈ લેવો જોઈએ તેમ કહ્યું છે.
આ દરમિયાન ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ અંગેની અટકળો ચાલી રહી છે ત્યારે હાર્દિકે તેમનું નામ લઈને કહ્યું કે તેમણે જલ્દી આ અંગે નિર્ણય લઈ લેવો જોઈએ. હાર્દિકે કહ્યું કે, "હું ઈચ્છું છું કે જલ્દીમાં જલ્દી એક નિરાકરણ આવી જાય, વારંવાર નરેશભાઈ દિલ્હી જવું પડે તેમણે મિટિંગ કરવી પડે, તેમની સાથે કેટલાક ધારાસભ્યો પણ ગયા હતા જે સારી વાત છે."
હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષ પ્રત્યેની નારાજગી અંગે પૂર્ણવિરામ મૂક્યુ
બીજી તરફ કોંગ્રેસ પક્ષ પ્રત્યેની નારાજગી, સહિતના મુદ્દાને કારણે હાર્દિક પટેલને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી. જેના પર આજે હાર્દિક પટેલે પૂર્ણવિરામ મૂકી દીધું છે. "જ્યારે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે મારે મારી જવાબદારી નિભાવવાની હોય, હું કોંગ્રેસ પાર્ટમાં છું, તો મારે 100 ટકા પાર્ટીને આપવાના છે. મેં પહેલા પણ કહ્યું છે કે માત્ર કોંગ્રેસ પાર્ટી નહીં જ્યારે-જ્યારે હું આંદોલનની ભૂમિકામાં હતો, ત્યારે પણ મેં મારા 100 ટકા આપવાનો પ્રયાસ કર્યો છે.