હાર્દિક પટેલ આજે પૂંજ કમિટી સમક્ષ લેખિતમાં જવાબ રજૂ કરશે. આ પૂર્વે હાર્દિક પટેલ પૂંજ કમિટી સમક્ષ હાજર રહ્યો હતો. તે સમયે તેને લેખિતમાં જવાબ રજૂ કરવા માટે સમય માગ્યો હતો.
પાટીદાર આંદોલન વખતે 650 ધરપકડો થઈ હતી અને 438 જેટલા કેસ
30 સપ્ટેમ્બર બાદ પૂંજ કમિશન રાજ્ય સરકારને પોતાનો અહેવાલ આપશે
હાર્દિક આજે લેખિતમાં જવાબ આપશે
શું કહેવું છે હાર્દિકનું
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પૂંજ કમિશન સમક્ષ હાજર થયો હતો. 25-26 ઓગષ્ટ 2015ના રોજ બનેલી ઘટના મુદ્દે જવાબ આપશે. 25 ઓગસ્ટની ઘટના અંગે લેખિતમાં જવાબ રજૂ કરશે.હાર્દિકે કહ્યું હતું કે, પાટીદાર યુવાનો અને મહિલાઓ પર અત્યાચાર થયો હતો. હાર્દિક પટેલે પંચ સમક્ષ એક દિવસનો સમય માંગ્યો હતો. જેથી પૂંજ પંચે હાર્દિક પટેલને એક દિવસનો સમય આપ્યો છે. બુધવાર બપોરે જવાબ રજૂ કરવા માટે પંચ સમક્ષ હાર્દિક પટેલ જશે.
જે લોકો ફરિયાદી છે તેમણે પણ જવાબ રજૂ કરવો જોઈએઃ હાર્દિક
જો કે કમિશન સાથે મુલાકાત અગાઉ હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું. જેમાં તેણે કહ્યું કે, ઘટનાને 4 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. જે લોકોએ ફરિયાદ કરી છે તેમને પણ જવાબ રજૂ કરવો જોઈએ. તેમજ પુરાવા માગશે ત્યારે વકીલ સાથે હાજર રહીશ તેમ તેમણે જણાવ્યું હતું.
21 સપ્ટેમ્બરે ચિરાગ અને કેતનને હાજર રહેવા આદેશ
GMDC મામલે તપાસ કરી રહેલા જસ્ટિસ પૂંજ કમિશને જવાબ રજૂ કરવા માટે તાત્કાલિક પાટીદાર અનામત આંદોલનના આગેવાન હાર્દિક પટેલને અચૂક હાજર રહેવા નોટિસ આપી છે. તો હાર્દિકની સાથે અમરીશ પટેલ પણ આજે હાજર રહી શકે છે. આ ઉપરાંત ચિરાગ પટેલ અને કેતન પટેલને પણ નોટિસ આપવામાં આવી છે. જેમાં ચિરાગ પટેલને 21મી સપ્ટેમ્બરે હાજર રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
કેમ કરવામાં આવી પૂંજ કમિશનની રચના
25 ઓગષ્ટ 2019માં GMDC ગ્રાઉન્ડમાં મહાસભા બાદ ગુજરાત ભરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા આ મામલે ગુજરાત સરકારે વર્ષ 2017માં હાઈકોર્ટના નિવૃત જજ કે.એ. પૂંજની અધ્યક્ષતામાં એક તપાસ પંચની રચના કરી હતી. આ તપાસ પંચની 30મી સપ્ટેમ્બરે મુદત પુરી થાય છે. એટલે આ કેસમાં બાકી લોકોના જવાબ મેળવવા માટે કમિશને તજવીજ હાથ ધરી છે. હવે 30 સપ્ટેમ્બર બાદ પૂંજ કમિશન રાજ્ય સરકારને પોતાનો અહેવાલ આપશે
શું હતુ આ આંદોલનનું કારણ?
પાટીદાર અનામત આંદોલન એ 6 જુલાઈ 2015થી શરૂ કરવામાં આવ્યું હતુ જેનું કારણ પાટીદાર સમાજ માટે અનામત માંગવામાં આવે. જેમાં વિરોધ પ્રર્દશને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. ઠેર ઠેર સરકાર વિરોધી દેખાવો થયા હતા અને તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને રાજીનામું આપી દેવું પડ્યુ હતુ.
12 જણાએ જીવ ગુમાવ્યો અને કરોડોનું નુકસાન
200 જેટલી સરકારી બસ અને અનેક વાહનોને આગચંપીના બનાવો બન્યા હતા જેમાં અમદાવાદમાં, 12 કરોડ, રાજકોટમાં 1.47 કરોડ અને પોલીસ વિભાગનું 200 કરોડનું નુકસાન થયુ હતુ.
પોલીસ કાર્યવાહી
ઓછામાં ઓછી 650 ધરપકડો થઈ હતી જેમાંથી 156ને છોડી દેવામાં આવ્યા છે જ્યારે 438 જેટલા કેસ થયા હતા જેમાંથી 391 કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે.