તાજેતરમાં કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલ આજે ભાજપમાં જોડાશે નહીં. મહત્વનું છે કે, 28 વર્ષીય હાર્દિક પટેલ વર્ષ 2019માં કોંગ્રેસમાં જોડાયો હતો.
હાર્દિક પટેલ આજે ભાજપમાં નહીં જોડાય
હાલમાં જ હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે
સિદ્ધુ મૂસેવાલાની હત્યાને લઈને AAP પર નિશાનો
ગુજરાત કોંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલે રવિવારે એવી અટકળોને રદિયો આપ્યો હતો કે તે સોમવારે ભાજપમાં જોડાશે. રવિવારે ન્યૂઝ એજન્સી PTI સાથે વાત કરતા હાર્દિક પટેલે કહ્યું કે હું આવતીકાલે ભાજપમાં જોડાઈ રહ્યો નથી, જો આવું કંઈ થશે તો હું તમને જણાવીશ. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પાટીદારોને અનામત આપવા માટે આંદોલનનો ચહેરો બનેલા હાર્દિક પટેલે તાજેતરમાં કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
હાલમાં જ હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે.
હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું હતું કે આજે હું હિંમતપૂર્વક કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને ખાતરી છે કે મારા નિર્ણયને મારા તમામ સાથીદારો અને ગુજરાતના લોકો આવકારશે. હું માનું છું કે મારા આ પગલા પછી હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર હકારાત્મક રીતે કામ કરી શકીશ. 28 વર્ષીય હાર્દિક પટેલ વર્ષ 2019માં કોંગ્રેસમાં જોડાયો હતો.
पंजाब के मुख्यमंत्री और दिल्ली से आम आदमी पार्टी की पंजाब सरकार को चला रहे लोगों को सोचना होगा की क्या उन्हें कांग्रेस की तरह पंजाब को दुःख दर्द देनी वाली दूसरी पार्टी बनना है या सच में लोगों के लिए कुछ करना हैं।
સિદ્ધુ મૂસેવાલાની હત્યાને લઈને હાર્દિક પટેલે આમ આદમી પાર્ટી પર સાધ્યું નિશાન
બીજી તરફ, હાર્દિક પટેલે રવિવારે પંજાબમાં ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાને લઈને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. હાર્દિકે પોતાના એક ટ્વિટમાં કહ્યું હતું કે, પંજાબના મુખ્યમંત્રી અને દિલ્હીથી આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર ચલાવનારા લોકોએ વિચારવું પડશે કે શું તેઓ પંજાબને દર્દ આપવા કોંગ્રેસ જેવી બીજી પાર્ટી બનાવ માંગે છે. ખરેખર લોકો માટે કંઈક કરવા માંગે છે. સિદ્ધુ મૂસેવાલાને મારી શ્રદ્ધાંજલિ.
सरकार का अराजक हाथों में जाना किसी प्रदेश के लिए कितना घातक होता है, यह पंजाब ने आज एक बड़ी ही दुःखद घटना के साथ महसूस किया। कुछ दिन पूर्व एक अंतरराष्ट्रीय कबड्डी खिलाड़ी और आज मशहूर युवा कलाकार सिद्धू मूसावाले की निर्मम हत्या महत्वपूर्ण सवाल खड़े कर रही हैं।
આ બાજુ બીજા એક ટ્વિટમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે,સરકારનું અરાજક હાથોમાં જવા દેવી કોઈ પણ પ્રદેશ માટે કેટલા ઘાતક હોય છે. આજે પંજાબ માટે એક મોટી દુઃખદ ઘટના સાથે અહેસાસ થયો. થોડા દિવસો પહેલા આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી અને આજે પ્રખ્યાત યુવા કલાકાર સિદ્ધુ મૂસાવાલેની ઘાતકી હત્યા મહત્વના સવાલો ઉભા કરી રહી છે. પંજાબના માનસા જિલ્લામાં રવિવારે સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આના એક દિવસ પહેલા શનિવારે પંજાબ સરકારે સિદ્ધુ મૂસેવાલાને આપવામાં આવેલી સુરક્ષા કવચ હટાવી દીધું હતું.