ગુજરાતનાં પાટીદાર આંદોલનનાં મુખિયા અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ આગામી લોકસભા ચૂંટણી નહીં લડી શકે. ગુરૂવારનાં રોજ ઉચ્ચત્તમ ન્યાયાલયે મહેસાણા તોફાન મામલામાં તેઓને મળેલ સજા પર પ્રતિબંધ લગાવવા સંબંધી અરજી પર સુનાવણી કરવાથી ઇન્કાર કરી દીધો છે. બીજા ચરણનાં મતદાન માટે ઉમેદવારી દાખલ કરવાની અંતિમ તારીખ 4 એપ્રિલ છે. એવામાં હવે હાર્દિકની ચૂંટણી લડવી એ અસંભવ છે.
આ પહેલાં 29 માર્ચ તો ગુજરાત હાઇકોર્ટે 2015નાં મહેસાણા તોફાન મામલામાં હાર્દિકને મળેલી બે વર્ષની સજા પર પ્રતિબંધ લગાવવાથી મનાઇ કરી દીધી હતી. સજા મળવાને કારણ તે જનપ્રતિનિધિ 1951ની જોગવાઇ અંતર્ગત આવી ગયેલ છે. આ અંતર્ગત બે વર્ષ અથવા અધિક વર્ષોની જેલની સજા કાપી રહેલ વ્યક્તિ દોષસિદ્ધિ પર પ્રતિબંધ લાગવા સુધી ચૂંટણી નહીં લડી શકે.
પટેલ પાસે ચૂંટણી લડવા માટે અંતિમ વિકલ્પ તરીકે સુપ્રીમ કોર્ટનો જ માર્ગ બચ્યો હતો. જ્યાંથી જો તેને રાહત મળી જાય તો તેઓ જામનગરથી ચૂંટણી લડી શકતા હતાં. જેની તેઓ ખૂબ સમયથી તૈયારી કરી રહ્યાં હતાં. ગુરૂવારનાં રોજ કોર્ટે તેઓની અરજી પર સુનાવણી કરવાથી ઇન્કાર કરી દીધેલ છે.
ગયા વર્ષે જુલાઇમાં મહેસાણા જિલ્લાનાં વિસનગરમાં સત્ર કોર્ટે પટેલને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. નીચલી કોર્ટનાં ચુકાદા વિરૂદ્ધ હાર્દિક પટેલે હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે તેઓને ચૂંટણી લડવા માટે સજાથી રાહત આપવામાં આવે. પરંતુ કોર્ટે તેઓની સજા પર પ્રતિબંધ લગાવવાથી ઇન્કાર કરી દીધો હતો.
હાર્દિક સહિત બે સાથીઓને મળી હતી સજાઃ
ગયા વર્ષે જુલાઇમાં ગુજરાતની એક કોર્ટે મહેસાણાનાં ભાજપ ધારાસભ્યની ઓફિસ પર હુમલો કરવાનાં આરોપમાં હાર્દિક પટેલ અને તેઓનાં બે અન્ય સાથીઓને દોષી ઠહેરાવતા બે-બે વર્ષની સજા સંભળાવી હતી. આ સિવાય તેઓને 50-50 હજાર રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો.