આવતી કાલે હાર્દિક પટેલ પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં હાર્દિક મોટો ઘટસ્ફોટ કરી શકે તેવી શક્યતા.
આવતી કાલે હાર્દિક કરશે પ્રેસ કોન્ફરન્સ
આવતી કાલે હાર્દિક મોટું એલાન કરે તેવી શક્યતા
હાર્દિક ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા
હાર્દિક પટેલના ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે હાર્દિક કયા પક્ષમાં જોડાશે તેની પર સૌ કોઇની નજર મંડરાયેલી છે. ત્યારે હાર્દિક પટેલને લઇને વધુ એક મોટા સમાચાર સામે આવ્યાં છે. એટલે કે આવતી કાલે હાર્દિક પટેલ પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં હાર્દિક મોટો ઘટસ્ફોટ કરી શકે તેવી શક્યતા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 18, 2022
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે લાંબા સમયની નારાજગી બાદ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. ત્યારે હવે માનવામાં આવી રહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જ હાર્દિક પટેલ પર હુમલા કરી રહ્યાં છે.
કોંગ્રેસ નેતાએ હાર્દિક પટેલ પર કર્યા પ્રહાર
હેમાંગ વસાવડા કહ્યું કે હાર્દિક પટેલે કીધું એમ ટિકિટ આપવામાં આવી હતી, યુપી, બિહાર અને પંજાબમાં તેમને મોકલવામાં આવ્યા હતા. રાહુલજીએ તેમને ખૂબ જ તકો આપી હતી. તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસમાં જોડાણ નથી તેવું તો પહેલેથી દેખાતું હતું, આમારી પાર્ટી સક્ષમ છે, તેમના જવાથી કોઈ નુકસાન થવાનું નથી. જે રીતે એમણે ચૂંટણી લડવાની મંજૂરી મેળવી અને ફટાફટ કેસો પાછા ખેંચાવવા મંડ્યા એટલે પહેલેથી જ એંધાણ હતા કે તેઓ પાર્ટી છોડવાના હતા.
કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ કહ્યું છે કે હાર્દિક પટેલના જવાથી કોઈ મોટી ખોટ પડવાની નથી અને તેઓ ભાજપના શરણે જઈ રહ્યા છે. જે ભાજપની સામે તેઓ નિવેદનો કરી રહ્યા હતા તે જ ભાજપમાં તેઓ જઈ રહ્યાં છે.
ભાજપ નેતાએ શું કહ્યું?
વરુણ પટેલે જણાવ્યું કે હાર્દિક કોંગ્રેસ છોડે છે તે વાત તો ફિક્સ જ હતું, તેમણે છોડ્યું ન હોત તો તેઓને કોંગ્રેસમાંથી કાઢી નાંખવામાં આવ્યા હોત. જો તેઓ ભાજપમાં આવવાના હોય તો મને નથી લાગતું કે કોઈ કાર્યકર તેમનો સ્વીકાર કરે, જોકે નિર્ણય તો મોવડી મંડળ જ છે. ચિરાગ પટેલે કહ્યું, કે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા તે નિર્ણય જ ખોટો નિર્ણય હતો.
आज मैं हिम्मत करके कांग्रेस पार्टी के पद और पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा देता हूँ। मुझे विश्वास है कि मेरे इस निर्णय का स्वागत मेरा हर साथी और गुजरात की जनता करेगी। मैं मानता हूं कि मेरे इस कदम के बाद मैं भविष्य में गुजरात के लिए सच में सकारात्मक रूप से कार्य कर पाऊँगा। pic.twitter.com/MG32gjrMiY
હાર્દિક પટેલે ટ્વિટર ઉપર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો છે અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી હોવાનું જણાવ્યું છે. જેમાં હાર્દિકે લખ્યું છે કે, 'CAA-NRC, ધારા-370, રામ મંદિર જેવા મુદ્દામાં કોંગ્રેસ માત્ર બાધા બની છે. હું જ્યારે પણ હાઇકમાન્ડને મળ્યો ત્યારે તેમનું ધ્યાન માત્ર મોબાઈલમાં જ હતું. હાઇકમાન્ડને ગુજરાત અને ગુજરાતીઓથી નફરત છે. ગુજરાતનાં નેતાઓ દિલ્હીથી આવેલા નેતાને ચિકન સેન્ડવીચ ટાઈમ પર મળી કે નહીં તેની પર જ ધ્યાન આપે છે.'
કોંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઈને ગુજરાતની જનતાના મુદ્દા નબળા કર્યા: હાર્દિક
વધુમાં હાર્દિકે પત્રમાં કહ્યું કે, 'કોંગ્રેસ પાર્ટી વિરોધની રાજનીતિ સુધી સીમિત રહી ગઈ. કોગ્રેસ દરેક મુદ્દા પર કેન્દ્ર સરકારના વિરોધ સીમિત રહી ગઈ. કોંગ્રેસનું નેતૃત્વ પાયાનો રોડમેપ પણ જનતા સમક્ષ પ્રસ્તુત ન કરી શક્યું. કોંગ્રેસના શીર્ષ નેતૃત્વમાં કોઈ પણ મુદ્દામાં ગંભીરતાની ઉણપ રહેલી છે. સમસ્યાઓ કરતા નેતાઓનું ધ્યાન મોબાઈલમાં વધુ હોય છે. જ્યારે દેશને કોંગ્રેસની જરૂર હતી ત્યારે નેતા વિદેશમાં હતા. કોંગ્રેસે યુવાઓના વિશ્વાસને તોડ્યો છે. કોંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઈને ગુજરાતની જનતાના મુદ્દા નબળા કર્યા. કોંગ્રેસના નેતાઓએ આર્થિક ફાયદાઓ ઉઠાવ્યા. કોંગ્રેસના નેતાઓનું વેચાઈ જવું એ જનતા સાથે દગો છે. કોંગ્રેસ ગુજરાતની જનતા માટે સારૂ કરવા જ ઈચ્છતી નથી. જ્યારે મે ગુજરાતનું સારૂ ઈચ્છ્યું ત્યારે કોંગ્રેસે મારો તિરસ્કાર કર્યો. આજે હું મોટી હિમંત કરીને કોંગ્રેસમાંથી રાજીનામુ આપુ છું. મને વિશ્વાસ છે કે મારા સાથીઓ મારા નિર્ણયનું સ્વાગત કરશે.'