હાર્દિક પટેલે આજે કમલમ ખાતે કેસરિયા કર્યા છે. ભાજપના નેતાઓ, સંતો- મહંતો અને ભાજપના કાર્યકરો તથા મોટી સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે હાર્દિક પટેલે વિધિવત રીતે કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન પત્રકારે પાટીદાર અનામત આંદોલન વેળાની હિંસા બાબતે સવાલ ઊઠવ્યો હતો જેને લઈને હાર્દિક પટેલ ગુસ્સે ભરાતા ક્ષણિક ઉહાપોહ મચી ગયો હતો. ત્યારબાદ BJP નેતાઓએ શાંત કરી મામલો થાળે પાડ્યો હતો.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 2, 2022
આંદોલન વેળાની નુકસાની કોણ ભોગવશે?
કેસરિયા કરી લીધા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં હાર્દિક પટેલ અકળાયા હતા. વર્ષ 2015 દરમિયાન હાર્દિક પટેલની આગેવાની હેઠળ પાટીદાર અનામત આંદોલન શરૂ થયું હતું. જોત જોતાંમાં આ આંદોલનને પ્રચંડ સમર્થન મળ્યું હતું. વર્ષ 2015 અનામત આપવાની માંગ સાથે કેટલાક યુવાનોના નેતૃત્વમાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પાટીદાર સમુદાય ઊમટી પડ્યો હતો. આ સભા બાદ ગુજરાતભરમાં હિંસા ફાટી નીકળી હતી. આંદોલન હિંસક બનતા બસો સળગાવવા સહિત કરોડો રૂપિયાની સંપતિને નુકસાન કરાયું હવાની રાવ ઉઠી હતી. આ મામલે આજની પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારે સવાલોનો વરસાદ વરસાવ્યો હતો. જેમાં આંદોલનનો પ્રશ્ન ઉઠાવતા પત્રકારે જણાવ્યુ હતું કે, તેમે ભાજપમાં આવી ગયા હવે જે-તે સમયે થયેલ એ નુકસાન ભોગવશે કોણ?
BJP નેતાઓએ હાર્દિક પટેલને શાંત કર્યા
આ સવાલની સાથે જ હાર્દિક પટેલ સંયમ ખોઈ બેઠા હતા અને એ.. એ ભાઈલા હું થોડું ત્યાં સળગાવવા ગાયો હતો? મારો કોઇ રોલ છે? તેમ કહી ગુસ્સે ભરાયા હતા. જેના વળતાં જવાબમાં પત્રકારોએ પણ એકી સાથે સવાલો કર્યા હતા. આ દરમિયાન થોડી વાર માટે પત્રકાર પરિષદ હોલમાં દેકારો બોલી ગયો હતો.જેથીપરિસ્થિતિ પારખી BJP નેતાઓએ હાર્દિક પટેલને શાંત કર્યા હતા.