વર્ષ 2017ના કેસમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને લઇને જામનગર કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે.
હાર્દિક પટેલને જામનગર કોર્ટ તરફથી મોટી રાહત
ફોજદારી કેસમાં કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
2017માં ભાષણ મામલે નોંધાયો હતો ફોજદારી ગુનો
જામનગરમાં હાર્દિક પટેલ સામે ફોજદારી કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ભાજપના MLA હાર્દિક પટેલને જામનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. અત્રે નોંધનીય છે કે, વર્ષ 2017માં ધૂતારપર ગામે ભાષણ મામલે હાર્દિક પટેલ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. ભડકાઉ ભાષણ કરતા સરકાર તરફથી હાર્દિક પટેલ વિરૂદ્ધ ફોજદારી કરવામાં આવી હતી. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા કેસમાં કોર્ટે જામનગર કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.
2017માં વિધાનસભાની ચૂંટણી પહેલા જામનગરના ધુતારપર-ધુળસીયા ગામમાં યોજાયેલી એક સભાને લઈને હાર્દિક પટેલ પર કેસ થયો હતો. સભાની મંજુરી શૈક્ષણિક હેતુથી લીધેલી હતી અને તેમા રાજકીય ભાષણ થતા આ મુદ્દે ફરિયાદ થઈ હતી. કેસ પણ દાખલ કરવામાં આવ્યા હતો. રાજકીય ભાષણ કરવા બદલ પાસ કન્વીનર અંકિત ઘેડીયા અને હાર્દિક પટેલ સામે ગુનો દાખલ થયો હતો.
વર્ષ 2017ની સાલમાં ધુતારપર-ધુળસીયા ગામમાં એક શાળામાં શૈક્ષણિક સભાની મંજૂરી લેવામાં આવી હતી. જે સભામાં હાર્દિક પટેલે પાટીદાર નેતા તરીકે હાજર રહ્યા પછી રાજકીય ભાષણ કર્યું હતું. જે મામલે પંચકોષી એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઇ હતી.
જાણો શું હતો હાર્દિક પટેલ સામેનો કેસ?
વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણી પહેલા હાર્દિક પટેલ સામે કેસ થયો હતો
જામનગરના ધુતારપર-ધુળસીયાની સભાને લઇને કેસ થયો
સભાની મંજૂરી શૈક્ષણિક હેતુથી લીધેલી હતી
સભામાં રાજકીય ભાષણ થતાં ફરિયાદ દાખલ થઇ અને કેસ કરાયો
પાસ કન્વીનર અંકિત ઘેડિયા અને હાર્દિક પટેલ સામે નોંધાયો ગુનો
પાટીદાર નેતા તરીકે હાર્દિક પટેલે રાજકીય ભાષણ કર્યુ હતું