અમદાવાદઃ પીએમ મોદી 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવાના છે. જોકે પીએમ પહેલા સી-પ્લેન દ્વારા સરદાર સરોવર ડેમમાં ઉતરાણ કરવાના હતા. જોકે તળાવમાં મગર હોવાથી પ્રોગ્રામ કેન્સલ કરાયો છે.
આ મામલે હાર્દિક પટેલે પીએમ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે. ત્યારે હાર્દિક પટેલે આ મુદ્દે ટ્વીટ કરીને કહ્યું કે નરેન્દ્ર મોદી નાનપણમાં મગર સાથે લડી લેતા હતા. તો હવે મોટા થઈ ગયા તો ડર શેનો ?
नरेन्द्रभाई मोदी जी गुजरात के नर्मदा किनारे सी-प्लेन से उतरने वाले थे लेकिन नदी में मगरमच्छ होने के कारण अब सी-प्लेन से नहीं उतरेंगे.मुझे अभी याद आया की बच्चपन में साहब मगरमच्छ से लड़ लेते थे एसा मीडिया ने कहा था.अब तो बाल नरेंद्र बड़े भी हो गए हैं।तो फिर मगरमच्छ से डर क्यूँ ??
હાર્દિક પટેલે લખ્યું કે નરેન્દ્ર મોદી ગુજરાતના નર્મદા કિનારે સી-પ્લેન ઉતારવાના હતા.પરંતુ નદીમાં મગરમચ્છ હોવાના કારણે હવે સી-પ્લેન નહીં ઉતારે. મને યાદ આવ્યું કે બાળપણમાં તેઓ મગરમચ્છ સાથે લડી લેતા હતા એવું મીડિયાએ કહ્યું હતું. હવે તો બાલ નરેન્દ્ર પણ મોટા થઇ ગયા તો પછી મગરમચ્છથી ડર શેનો?
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી-પ્લેન દ્વારા ઉતરાણ કરવાનો કાર્યક્રમ રદ્ કરાયો હતો. નર્મદા ડેમ સાઇટ પર તળાવમાં વધુ પડતા મગર હોવાના કારણે કાર્યક્રમ રદ કરાયો છે.