સુરતમાં રાજદ્રોહ કેસમાં ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવ્યા બાદ હાર્દિક પટેલે જણાવ્યુ કે રાજ્યમાં ભાજપ સરકાર આવે છે. ત્યારે કોમી રમખાણ જેવી સ્થિતિનુ નિર્માણ થાય છે. હવે ગુજરાતની શાંતિ જળવાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. વધુમાં જણાવ્યુ કે આગામી દિવસોમાં પાટીદાર દ્વારા અનોખા કાર્યક્રમ કરવામાં આવશે. સુરતમાં જ્યારે પણ કાર્યક્રમ કરીશું ત્યારે કંઈક અલગ જ કાર્યક્રમ કરવામા આવશે.