ગાંધીનગરઃ પાટીદારોને અનામત આપવાની માગ સાથે છેલ્લા ત્રણ વર્ષથી આંદોલન ચલાવી રહેલી પાસની ટીમે આખરે OBC કમિશનમાં રજૂઆત કરી હતી. 25 PASS કન્વિનરોએ OBC કમિશનમાં રજૂઆત કરી હતી.
પંચમાં રજૂઆત કર્યા બાદ હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હવે સફળતા મળવાની તકો છે. કારણ કે 50%થી વધુ અનામત આપી શકાય છે તેવુ કમિશને પણ સ્વિકાર્યું છે.
હાર્દિકે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર અનામત આપી શકે તો ગુજરાતમાં કેમ નહીં. ઓબીસી કમિશનને યોગ્ય રજૂઆત કરવામાં આવી છે અને પંચે પણ વાતને બરાબર સાંભળી છે એટલે હવે આશા છે કે ગુજરાતમાં પણ સર્વે થશે.
વધુમાં તેમણે કહ્યું કે 3 વર્ષના અંતે OBC પંચમાં લેખિતમાં રજૂઆત કરાઇ છે. ત્યારે હવે સફળતા મળવાની તકો છે.