જામનગરમાં અખિલ ભારતીય પંચાયત પરિષદ દ્વારા ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ખેડૂત સંમેલન હાર્દિક પટેલની હાજરીમાં યોજાયું. અખિલ ભારતીય પંચાયત પરિષદના ઉપક્રમે ખેડૂત સંમેલન યોજાયું. સંત ચક્રપાણી આંદોલનકારી પ્રવીણ રામ અને સાગર રબારી અને ધારાસભ્ય વિક્રમ માડમ સહિતના નેતાઓએ હાજરી આપી. આ ખેડૂત સંમેલનમાં ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઇને સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવ્યા. તો આ સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યાં હતાં. અહીંથી હાર્દિક પટેલે પોતે આગામી સમયમાં ચૂંટણી લડશે તેવું પણ જાહેર કર્યુ હતું.
આ સંમેલનમાં હાર્દિક પટેલે સરકાર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ખેડુતોને 24 કલાક નહિ 8 કલાક વિજળી આપો તો પણ ઘણુ છે. કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડુતોના મુદાઓ ઉઠાવવા પડશે. ખેડુતોને પાકના યોગ્ય ભાવ મળવા જોઇએ. કેન્દ્ર સરકારે ખેડુતો સાથે મજાક કરી છે. જંતુનાશક દવા પરથી GST હટાવો.
હાર્દિકે કહ્યું કે ખેડૂતોની દેવામાફી પાક વીમો અને વિજળી આપવા ખેડૂત સંમેલનમાં ભાજપ-કોંગ્રેસ તમામને આમંત્રણ આપવામાં આવેલ હતું. પરંતુ ભાજપ-કોંગ્રેસ વાળા કોઇ ન આવ્યા અને આવ્યા ખાલી ચાર લોકો.
વધુમાં તેમણે કહ્યું કે ભારત સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે ભારતના ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. અમારા ખેડૂતોને 17 રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. સરકારે ખેડૂતો સાથે મજાક કરી છે. સરકાર ખેડુતોને મહિને 25 હજાર આપવા મજબૂર કરવા છે. મોદી-શાહ સામે મારે કોઈ વ્યક્તિગત વાંધો નથી.
ભાજપના મંત્રી પર પ્રહાર કરતા કહ્યું કે કેન્દ્રીય મંત્રી રૂપાલાને ખબર નથી કંઈ ઋતુમાં ક્યો પાક થાય છે. બળદિયાને બે ચાર વર્ષે બદલી નખાઇ. આને 30 વર્ષ થઇ ગયા તેમા વાંક આપણો છે.
જમીન માંપણીમાં મોટું કૌભાંડઃ હાર્દિક
મારેને જામનગરને શુ લેવા દેવા? તો પણ હું ખેડૂતો માટે આવ્યો છું. રિલાયન્સની કંપની સામે લડવા આવ્યો છું.
સોશિયલ મિડિયામાં પોલ બાદ હાર્દિક પટેલની મોટી જાહેરાત
ઘણા મિત્રો પૂછતા હતા કે બે દિવસથી ચૂંટણીનું ચાલે છે. હું ચૂટણી લડીશ જ ભવિષ્યમાં ચૂંટણી લડીશ. લોકસભાની ચૂંટણી લડવા મુદ્દે હાર્દિક પટેલે મૌન તોડ્યું છે.