સુરતમાં ગોડસેના જન્મ દિવસની ઉજવણીને પગલે ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે રાજ્ય સરકારની સૂચના બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીના ભાગરૂપે લિંબાયત પોલીસે 6 શખ્સોની અટકાયત કરવામાં છે. ત્યારે કોંગ્રેસે આ મામલે પ્રતિક્રિયા આપી હતી.
સુરતમાં ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેને લઈને કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું કે ભાજપ ગોડસેની વિચારધારાને માને છે. ગોડસેનું સમર્થન કરનારા સામે દેશદ્રોહ હેઠળ ગુનો દાખલ કરવો જોઇએ. જેમની અટકાયત કરવામાં આવી છે તેમને 5 દિવસમાં છોડી દેવાશે.
જ્યારે વિરોધ કરતા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે ભાજપની સરકાર ગુજરાતમાં વારંવાર ગાંધીનું અપમાન કરે છે. ગોડસેના જન્મદિવસની ઉજવણી કરનારા સામે કાર્યવાહી થવી જોઈએ.
તો આ તરફ સુરતમાં અર્જુન મોઢવાડિયાની તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ હતું કે ગુજરાતીઓએ આત્મખોજ કરવાની જરૂર છે. આપણે કાયર કેમ ? એમ કહી મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે ભાજપ દેશની પ્રજાને કાયર બનાવી રહી છે. ગોડસેના જન્મ દિવસની ઉજવણી કરીને ડૂબી મરવું જોઈએ.