પાટીદાર અગ્રણી અને અનામત આંદોલનના કન્વીનર અલ્પેશ પટેલેની જેલમુક્તિને લઇને આજરોજ સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે પાટીદાર અગ્રણીઓની એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ખોડલધામના વડા અને પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ સહિત સમાજના અન્ય આગેવાને ખાસ હાજર રહ્યા હતા.
આ બેઠકમાં પાટીદાર યુવાન અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિ બાબત અને પાટીદાર આંદોલન સમયે જેટલા પાટીદાર યુવકો સામે પોલીસ કેસ નોંધાયેલા છે તેને લઇને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને 6 સભ્યોની કમિટીની રચના કરવામાં આવેલ.
આ બેઠકમાં હાજર ખોડલધાનમાં અગ્રણીએ પાટીદાર આંદોલનને લઇને એક નિવેદન આપ્યું હતું. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, નરેશ પટેલે કહ્યું-અનામત આંદોલનનું અસ્તિત્વ હાલ રહ્યું નથી.
હાર્દિક પટેલનું નિવેદન શું હતું..?
જેને લઇને પાટીદાર આંદોલનથી જાણીતા બનેલા અને કોંગ્રેસ પાર્ટીના સ્ટાર પ્રચારક એવા પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રણેતા હાર્દિક પટેલે પણ નરેશ પટેલના આંદોલનની સમાપ્તીના નિવેદનને આવકાર્યું હતું અને કહ્યુ હતું કે, રાજ્ય સરકાર દ્વારા 10 % અનામતની જાહેરાત કર્યા બાદ આંદોલન કરવું અયોગ્ય ગણાય.
શું હતું અનામત આંદોલન...?
25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદ શહેરના GMDC ગ્રાઉન્ડથી પાટીદાર સમાજ માટે અનામતની માંગ સાથે એક આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પાટીદારો જોડાયા હતા.
નરેશ પટેલે શું કહ્યું?
રાજકોટમાં મળેલી બેઠકમાં પાટીદાર સમાજનાં અગ્રણીઓ સાથે ખોડલધામનાં નરેશ પટેલ પણ હાજર રહયાં હતાં અને પાટીદાર આંદોલન વખતે તમામ પાટીદાર યુવાનો સામે કરાયેલા પોલીસ કેસ તેમજ અલ્પેશ કથીરીયાની જેલમુક્તિ બાબતે સરકારને મળીને ચર્ચા કરવામાં આવશે તેમજ હાલ "પાટીદાર અનામત આંદોલનનું કોઈ અસ્તિત્વ ન હોવાથી આંદોલન પૂર્ણ થયું સમજી શકાય" અને સરકાર સાથે પાટીદાર સમાજને અન્યાય બાબતે ચર્ચા કરવામાં આવશે...!