ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે UP Election ને લઈને BJP સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે પ્રદેશમાં હત્યા, લૂંટ અને બળાત્કાર જેવી ઘટનાઓ વધી છે.
હાર્દિક પટેલના યોગી સરકાર પર આકરા પ્રહાર
બધી એજન્સી ચૂંટણી ટાણે જ એક્ટિવ
મહિલાઓની સુરક્ષામાં સરકાર નિષ્ફળ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલ ગાઈકાલે પ્રતાપગઢ પહોંચ્યા હતા. તેમણે કાંધરપુરના મેળા બાગમાં આયોજિત કિસાન સંમેલનમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
યોગી સરકાર પર આકરા પ્રહાર
તેમણે કહ્યું હતું કે BJP ધર્મ, જાતિ અને નફરતની રાજનીતિ કરે છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે પ્રદેશમાં હત્યા, લૂંટ અને બળાત્કાર જેવી ઘટનાઓ વધી છે.
બધી એજન્સીઓ ચૂંટણી ટાણે જ એક્ટિવ
હાર્દિક પટેલે કહ્યું હતું કે સરકાર બની તો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. તેમણે ઉત્તરપ્રદેશની યોગી સરકાર પર એવો આરોપ લગાવ્યો હતો કે કોરોનાના સમયમાં ગંગામાં લાશો વહેતી હતી. કાર્યક્રમ બાદ તેમણે ED અને CBI ના દરોડા પર પણ વાત કરી હતી કે તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી આવતા જ ED અને CBI જેવી એજન્સીઓ કાર્યરત થઈ જાય છે.
મહિલાઓની સુરક્ષામાં સરકાર નિષ્ફળ
કાયદો અને વ્યવસ્થાને લઈને હાર્દિકે સરકાર પર પ્રહારો કરતાં કહ્યું હતું કે મહિલા સુરક્ષાને લઈને પણ ચિંતા વધી છે સાથે તેમણે કહ્યું હતું કે સતત વધી રહેલી મોંઘવારી સાથે રોજગાર જેવા અનેક મોરચે સરકાર નિષ્ફળ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અજય ટેનીને લઈને પણ હાર્દિક પટેલે સરકાર પર હુમલો કર્યો હતો.
સરકારને ઉધડી લેતા તેમણે કહ્યું હતું કે આઅ સરકાર વિભાજન કરીને રાજનીતિ કરવામાં માને છે.