હાર્દિકે કહ્યું 'ગુજરાતનાં લોકોને હું વિનંતી કરું છું કે કોંગ્રેસ પર ભરોસો ન કરતાં, મેં મારા ત્રણ વર્ષ બગાડ્યા એનો મને અફસોસ છે.'
હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કાઢી પોતાની હૈયાવરાળ
મારી ગુજરાતનાં લોકોને વિનંતી છે કે, કોંગ્રેસ પર ભરોસો ન કરતા: હાર્દિક
મેં રાજીનામું આપ્યું એટલે ખોટી-ખોટી વાતો કરાય છે : હાર્દિક
કોંગ્રેસને બાય-બાય કહ્યાં બાદ હાર્દિક પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાની હૈયાવરાળ કાઢી. હાર્દિકે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, 'હું ગુજરાતનાં લોકોને વિનંતી કરું છું કે કોંગ્રેસ પર ભરોસો ન કરતા, મેં મારા ત્રણ વર્ષ બગાડ્યા એનો મને અફસોસ છે.'
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 19, 2022
યુથ કોંગ્રેસમાં ચૂંટણી માટે 5 કરોડ રૂપિયા ઉઘરાવવામાં આવે છે
હાર્દિકે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે, 'મે કોંગ્રેસ માટે ઘરના રૂપિયાનો ખર્ચ કર્યો. મે રાજીનામું આપ્યું એટલે ખોટી-ખોટી વાતો કરાય છે. યુથ કોંગ્રેસમાં ચૂંટણી માટે 5 કરોડ રૂપિયા ઉઘરાવવામાં આવે છે. કોંગ્રેસમાં તમામ જાતિના લોકોનું અપમાન થાય છે. અમારી રેલીઓ ફેલ થાય તે માટે કોંગ્રેસના નેતાઓ ષડયંત્ર કરતા. એક-બે વ્યક્તિ કોંગ્રેસ છોડે તે મનાય કે વેચાઈ ગયા. પાર્ટીમાં કોઈ પણ અવાજ ઉઠાવે તો કહેવાય છે કે વેચાઈ ગયા છે. સાચી વાત કરીએ તો કોંગ્રેસમાં બદનામી મળે છે કોંગ્રેસમાંથી અનેક લોકો પાર્ટી છોડીને ગયા છે. અનેક ધારાસભ્યો કોંગ્રેસથી નારાજ છે. કોંગ્રેસમાં કોઈ મજબૂત આગેવાન મોટા નેતા બનવાનો પ્રયાસ કરે ત્યારે તેમને સાઈડલાઈન કરાય છે. મે ઘણા દુ:ખ સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.'
હજુ સુધી મે કોઈ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય નથી કર્યો
વધુમાં ભાજપમાં જોડાવાને લઈને હાર્દિક પટેલે કહ્યું કે, 'હજુ સુધી મે કોઈ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય નથી કર્યો. ભાજપ કે AAPમાં જોડાવાનો હજુ સુધી નિર્ણય નથી લીધો.'
BIG BREAKING | હું કાર્યકારી પ્રમુખ હતો, મારા પિતાનું અવસાન થયું ત્યારે એક પણ નેતા બેસવા આવ્યો નથી, પુણ્યતિથીમાં પણ અનેક નેતાઓ ન આવ્યા: હાર્દિક પટેલ#HardikPatel#Congresspic.twitter.com/6Q4U2m2tPR
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 19, 2022
મારા પિતાના નિધન વખતે કોંગ્રેસના એક પણ મોટા નેતાએ ખબર ન પૂછી
પોતાના પિતાના નિધનને લઇને નિવેદન આપતા હાર્દિકે કહ્યું કે, 'મારા પિતાના નિધન વખતે કોંગ્રેસના એક પણ મોટા નેતાએ ખબર ન પૂછી. કોઈ પણ પ્રમુખ કે ઉપપ્રમુખની નિમણૂંક કરાય તો ખરી પણ તેમના નામની પણ ખબર નથી હોતી.'
સચિન પાયલટની મદદ કરવાની વાત આવી ત્યારે રઘુ શર્મા ભાગી ગયા
આ સાથે રઘુ શર્મા પર હાર્દિકે પ્રહાર કરતા કહ્યું કે, 'સચિન પાયલટે રઘુ શર્માને પેટાચૂંટણીમાં જીત માટે મદદ કરી હતી. જ્યારે સચિન પાયલટની મદદ કરવાની વાત આવી ત્યારે રઘુ શર્મા ભાગી ગયા.'
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 19, 2022
આ સિવાય હાર્દિકે રામમંદિર, CAA અને NRC મુદ્દે વિરોધ ન કરવા પણ કહ્યું. રામમંદિર મુદ્દે કોંગ્રેસના નેતાઓએ મૌન સેવી દીધું છે. મસ્જિદની અંદરથી શિવલિંગ મળે તો પણ કોંગ્રેસ કોઈ સ્ટેન્ડ નથી લેતી.
10 મિનિટમાં જ નરેશ પટેલ સાથે મિટિંગ કરીને ભાગી જવાનો મતલબ શું?
નરેશ પટેલ સામે કોંગ્રેસના વલણને લઈને હાર્દિકે સવાલ ઉઠાવ્યા હતાં. હાર્દિકે કહ્યું કે, 'કોંગ્રેસના નેતાઓએ નરેશ પટેલ સાથે મુલાકાત કરીને માત્ર દેખાડો કરવાનો પ્રયત્ન કર્યો. આ રીતે ગણતરીની મિનિટમાં જ મુલાકાત કરીને નીકળી જવાનો શું મતલબ? 10 મિનિટમાં જ મિટિંગ કરીને ભાગી જવાનો મતલબ શું?'
ગુજરાતની સમસ્યાઓ પર રાહુલ ગાંધી ક્યારેય વાત ન હોતા કરતા
રાહુલ ગાંધી પર પણ મોટો આરોપ લગાવતા હાર્દિક પટેલે કહ્યું કે, 'રાહુલ ગાંધી ગુજરાત આવે છે પરંતુ ગુજરાતની સમસ્યાઓ પર ક્યારેય વાત ન હોતા કરતા. જાતિવાદથી ઉપર ઉઠીને ક્યારેય પણ કોંગ્રેસમાં વાત નથી થઈ. કયા વ્યક્તિને ક્યા મૂકો તો જાતિવાદના આધારે ફાયદો થાય તેની જ ચર્ચા થતી.'