વડોદરા: હાર્દિક પટેલના ઉપવાસને આજે બારમો દિવસ છે. ત્યારે હવે રાજ્યમાંથી ઠેર ઠેર પાટીદાર સમાજના લોકો સમર્થનમાં આવી રહ્યા છે. વડોદરામાં પાટીદાર સમાજ દ્વારા એક દિવસના ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. નાગરવાડામાં આવેલી પટેલ સમાજની વાડીમાં ધરણા શરૂ કરતા તમામ લોકોની પોલીસે અટકાયત કરી હતી.
પોલીસે આ કાર્યક્રમ ને મંજૂરી આપી ના હતી. જેના કારણે ધરણામાં જોડાયેલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં પાટીદારો કોંગ્રેસના આગેવાનો અને મુસ્લિમ સમાજના લોકો પણ જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે નાગરવાડામાં આવેલી પટેલ સમાજની વાડીમાં ધરણા શરૂ કર્યાના થોડા જ સમયમાં તમામ લોકોની પોલીસે અટકાયત કરી હતી કારણકે પોલીસે આ કાર્યક્રમ ને મંજૂરી આપી ના હતી.
જેના કારણે ધારણામાં જોડાયેલા લોકોની અટકાયત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદારો તથા કોંગ્રેસના આગેવાનો અને મુસ્લિમ સમાજના લોકો પણ જોડાયા હતા ધરણામા ભાગ લેવા આવેલા 20 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી હતી.