જામનગરમાં હાર્દિક પટેલે વંશવાદ મુદ્દે ભાજપ પર વળતો પ્રહાર કર્યો હતો. વંશવાદની તરફેણ કરતા હાર્દિક પટેલે ભાજપ પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું કે, ડોક્ટરનો પુત્ર ડોક્ટર બને છે. વડાપ્રધાનનો પુત્ર વડાપ્રધાન કેમ નહી?. NSUIના કાર્યકર્તાઓને સંબોધન કરતી વખતે હાર્દિકે ભાજપ પર પ્રહાર કર્યા હતા અને ભાજપના વંશવાદના નિવેદનનો જવાબ આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર બેઠક પરથી પૂર્વ સાંસદ વિક્રમ માડમ ચૂંટણી લડી શકે છે. જો હાર્દિક પટેલ જામનગર બેઠક પરથી નહીં લડે તો વિક્રમ માડમને ટિકિટ અપાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, વિક્રમ માડમ અગાઉ બે વાર જામનગરથી ચૂંટાયા છે.
જોકે હાર્દિક પટેલ કોંગ્રેસના સ્ટાર પ્રચારક છે. ત્યારે કોંગ્રેસને લોકસભામાં જીતાડવા માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે.