અમદાવાદ: અનામાત આંદોલન બાદ નોંધાએલા રાજદ્રોહ કેસ મામલે સેશન્સ કોર્ટમાં આજે સુનાવણી ટળી છે. 12 ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરાશે એવું જાણવા મળ્યું છે.
આજરોજ સુનાવણી દરમિયાન હાર્દિક પટેલ ચીરાગ પટેલ કોર્ટમાં હાજર રહ્યા હતા. જોકે દિનેશ બાંભણિયા કોર્ટમાં ગેરહાજર રહેતા સરકારી વકીલે તેમનો ઉઘડો લીઘો હતો. જ્જ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે કોર્ટને આ લોકો ગંભીરતાથી લેતા નથી અને એકને એક આરોપી દર સુનાવણીએ ગેરહાજર રહેતા તારીખો લંબાય છે.
મહત્વનું છે કે હવે રાજદ્રોહ કેસ મામલે વધુ સુનાવણી આગાણી 12 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે. કોર્ટે 12 ઓક્ટોબરના રોજ ચાર્જફ્રેમ માટે હાજર રહેવા આદેશ પણ કર્યો છે. જોકે હાર્દિકના વકીલે રજૂઆત કરતા જણાવ્યું હતું કે હાર્દિકની ડિસચાર્જ અરજી પેન્ડિંગ છે. તેથી તેના વિરૂદ્ધ ચાર્જફેમ નહી કરી શકાય.