કોલકત્તા મમતા બેનર્જીની આગેવાનીમાં વિપક્ષનું મહાગઠબંધન સંમેલન યોજાયું હતું જેમાં ગુજરાતમાંથી પાસના કન્વીનર હાર્દિક પટેલ પણ હાજર રહ્યા. ત્યારે કોલકતાથી પરત ફરી હાર્દિક પટેલે અમદાવાદ એરપોર્ટ પર નિવેદન આપ્યું હતું.
નિવેદન આપતાં હાર્દિક પટેલે કહ્યું કે દેશનું બંધારણ ખતરામાં છે માટે તમામ વિપક્ષો સાથે મળ્યા અને મહાગઠબંધનનું યોજાયું કર્યું છે. હાર્દિક પટેલે વધુમાં કહ્યું હતું કે દેશની સ્વતંત્ર સંસ્થા RBI તથા CBI જેવી સંસ્થા પણ ખતરામાં છે. માટે કોલકતામાં વિપક્ષની વિશાળ રેલી યોજાઈ અને મહાસંમેલન યોજાયું.
આ સંમેલનમાં 4 સીએમ અને 6થી વધુ પૂર્વ સીએમ તથા પૂર્વ વડાપ્રધાન પણ હાજર રહ્યા હતા. ગુજરાતના પ્રતિનિધિ તરીકે હું ત્યાં હાજર રહ્યા હતો અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ સફળતા આપી છે.