કોંગ્રેસ પક્ષથી નારાજ હાર્દિક પટેલે ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. VTV પાસે આ અંગેની EXCLUSIVE માહિતી સામે આવી છે.
ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર
હાર્દિકે અંતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું
હાર્દિક શું રાજકારણને બાય-બાય કરશે કે પછી હાર્દિક ભાજપ કે AAPમાં જોડાશે?
ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. છેલ્લાં કેટલાંય સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિકે અંતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં હાર્દિકને કોઇ જવાબદારી નહીં મળી હોવાના આક્ષેપ વચ્ચે હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આ અંગેની સૌ પહેલાં VTV પાસે EXCLUSIVE માહિતી સામે આવી છે.
જો કે, હવે જોવાનું એ રહ્યું કે શું હાર્દિક પટેલ રાજકારણને ટાટા-ટાટા બાય-બાય કરશે કે પછી હાર્દિક આગળના સમયમાં ભાજપમાં કે AAPમાં જોડાશે? તે હવે જોવાનું રહ્યું. જણાવી દઇએ કે, છેલ્લાં ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલે આખરે પાર્ટીના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. હાર્દિક પટેલે ટ્વિટર ઉપર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો છે અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી હોવાનું જણાવ્યું છે.
आज मैं हिम्मत करके कांग्रेस पार्टी के पद और पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा देता हूँ। मुझे विश्वास है कि मेरे इस निर्णय का स्वागत मेरा हर साथी और गुजरात की जनता करेगी। मैं मानता हूं कि मेरे इस कदम के बाद मैं भविष्य में गुजरात के लिए सच में सकारात्मक रूप से कार्य कर पाऊँगा। pic.twitter.com/MG32gjrMiY
જ્યારે મે ગુજરાતનું સારૂ ઈચ્છ્યું ત્યારે કોંગ્રેસે મારો તિરસ્કાર કર્યો: હાર્દિક પટેલ
હાર્દિક પટેલે કોંગ્રેસને લઇને જણાવે છે કે, 'કોંગ્રેસ પાર્ટી વિરોધની રાજનીતિ સુધી સીમિત રહી ગઈ. કોગ્રેસ દરેક મુદ્દા પર કેન્દ્ર સરકારના વિરોધ સીમિત રહી ગઈ. કોંગ્રેસનું નેતૃત્વ પાયાનો રોડમેપ પણ જનતા સમક્ષ પ્રસ્તુત ન કરી શક્યું. કોંગ્રેસના શીર્ષ નેતૃત્વમાં કોઈ પણ મુદ્દામાં ગંભીરતાની ઉણપ રહેલી છે. સમસ્યાઓ કરતા નેતાઓનું ધ્યાન મોબાઈલમાં વધુ હોય છે. જ્યારે દેશને કોંગ્રેસની જરૂર હતી ત્યારે નેતા વિદેશમાં હતા. કોંગ્રેસે યુવાઓના વિશ્વાસને તોડ્યો છે. કોંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઈને ગુજરાતની જનતાના મુદ્દા નબળા કર્યા. કોંગ્રેસના નેતાઓએ આર્થિક ફાયદાઓ ઉઠાવ્યા. કોંગ્રેસના નેતાઓનું વેચાઈ જવું એ જનતા સાથે દગો છે. કોંગ્રેસ ગુજરાતની જનતા માટે સારૂ કરવા જ ઈચ્છતી નથી. જ્યારે મે ગુજરાતનું સારૂ ઈચ્છ્યું ત્યારે કોંગ્રેસે મારો તિરસ્કાર કર્યો. આજે હું મોટી હિમંત કરીને કોંગ્રેસમાંથી રાજીનામુ આપુ છું. મને વિશ્વાસ છે કે મારા સાથીઓ મારા નિર્ણયનુ સ્વાગત કરશે.'
અમે તો કામ માંગીએ છે, પદ થોડું માંગીએ છીએ : હાર્દિક પટેલ
તમને જણાવી દઇએ કે, હાર્દિકની કોંગ્રેસ પ્રત્યેની નારાજગીને લઇને રાજ્યમાં છેલ્લાં કેટલાંય દિવસથી રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. આ મામલે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષના નેતાઓના નિવેદનો પણ સતત સામે આવી રહ્યાં છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ હાર્દિકે કોંગ્રેસ પ્રત્યેની નારાજગી મામલે ખોડલધામ ખાતે યોજાયેલી બેઠકમાં નિવેદન આપ્યું હતું કે, 'છું જ ને કોણ ના પાડે છે, અમે તો કામ માંગીએ છે, પદ થોડું માંગીએ છીએ. કાર્યકારી અધ્યક્ષ હોઉં તો જવાબદારી તો નક્કી હોવી જોઈએ કે નહીં.'
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 18, 2022
અમે હંમેશા અમારા 100 ટકા આપ્યા છે: હાર્દિક પટેલ
હાર્દિકે કહ્યું હતું કે, 'જ્યાં સુધી મુદ્દાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી હું ઉદયપુરની (કોંગ્રેસ) બેઠકમાં જઇને શું કરું. અમે લોકોએ પાર્ટીને આપ્યું છે, પાર્ટી જોડેથી અમે લોકોએ આજ દિન સુધી કંઇ લીધુ નથી. 2015 હોય, 2017 હોય કે પછી એના પછીનો સમય હોય, અમે હંમેશા અમારા 100 ટકા આપ્યા છે. ગુજરાતની જનતાની અંદર જાગૃતિ લાવીને કોંગ્રેસ સાથે લોકોને જોડવાનું કામ કર્યું છે. નારાજગી કરતા પણ વધારે પાર્ટી ફોરમમાં સ્વતંત્રતાની રીતે સાચી વાત મૂકવી ખૂબ જરૂરી હોય છે.'
કોંગ્રેસ હાર્દિક પટેલ વિરૂદ્ધ કોઇ પણ કાર્યવાહી નહીં કરે એવાં સમાચાર સામે આવ્યા હતાં
એવામાં તમને જણાવી દઇએ કે, જ્યારે પણ કોઇ કાર્યકર્તા કે આગેવાન પોતાની પાર્ટી વિરૂદ્ધ કોઇ પણ જાતના વિવાદાસ્પદ નિવેદનો કે તીખી પ્રતિક્રિયા આપે ત્યારે પાર્ટીને તેને બરતરફ કરતી હોય છે. પરંતુ હાર્દિકને લઇને એવાં સમાચાર સામે આવ્યા હતાં કે, 'કોંગ્રેસ હાર્દિક પટેલ વિરૂદ્ધ કોઇ પણ કાર્યવાહી નહીં કરે.' હાર્દિક પટેલ સતત કોંગ્રેસ પક્ષને નુકસાન થાય એવાં નિવેદન આપી રહ્યાં છે તેમ છતાં સંભવિત નુકસાનને ધ્યાને લઇ હાર્દિક વિરૂદ્ધ કોંગ્રેસ કોઇ જ કાર્યવાહી નહીં કરે. કોંગ્રેસ હાર્દિકને સિમ્પથી મેળવવાનો મોકો નહીં આપે. પરંતુ હાર્દિક પટેલ 'પાટીદાર કાર્ડ' ન ચલાવે એટલા માટે કોંગ્રેસ હાર્દિક વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરે. જો કોંગ્રેસ પગલાં ભરે તો હાર્દિક પાટીદાર યુવાન સાથે અન્યાયનો રાગ આલાપી શકે છે.