કોંગ્રેસ નેતાઓએ એકસૂરે હાર્દિક નારાજ નથી એમ કહ્યું
હાર્દિક પટેલ CM ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ પર કર્યો કટાક્ષ
ગુજરાતના રાજકારણમાં ગુરુવારે વિરમગામ ખૂબ ચર્ચામાં રહ્યું અને સૌ કોઇની નજર ત્યાં આવતા નેતાઓ પર હતી. હાર્દિક પટેલના પિતાની પ્રથમ પુણ્યતિથી હોવાથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. હાર્દિક પટેલ થોડા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે અને એવામાં ભાજપના પણ દિગ્ગજ નેતાઑ વિરમગામ આવી રહ્યા છે તેવી તેવી અટકળોના કારણે રાજકારણમાં હલચલ મચી ગઈ હતી, જોકે કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ ન આવતા હાર્દિક પટેલે કટાક્ષ કર્યો છે.
CM-CR ન આવે તો મને શું દુ:ખ પડવાનું છે?: હાર્દિક પટેલ
હાર્દિક પટેલને ભાજપના નેતાઓ વિશે સવાલ કરવામાં આવતા તેમણે કહ્યું કે મતભેદ એકબાજુ હોય છે પણ સુખ-દુ:ખના પ્રસંગમાં સામેલ થવું એ તદ્દન જુદી બાબત છે. CR પાટીલ કે CM ન આવ્યા તેનાથી મને શું દુ:ખ થઈ જવાનું છે. CM આવી રહ્યા છે તેવી હવા હોવાથી એક વસ્તુ તો સારી થઈ ગઈ કે વિરમગામમાં રાતોરાત રસ્તા સારા થઈ ગયા.
ઘીના ઠામમાં ઘી પડ્યું?
હાર્દિક પટેલના નિવેદનથી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે હાર્દિક પટેલને મનાવવા માટે કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે. હાર્દિક પટેલે કહ્યું કે મને કોઈ નારાજગી હશે તો એ હું ઉકેલી લઇશ, અમારે તો ગુજરાતના ભવિષ્ય માટે કામ કરવાનું છે. પત્રકારોને હળવા અંદાજમાં હાર્દિકે કહ્યું કે આજે તો હું માની ગયો એવું જ માની લો અને જો નારાજગી હશે તો દૂર થઈ જશે. ચલો CM નહીં આવ્યા તો પણ ફાયદો થયો છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 28, 2022
મે પહેલા પણ કહ્યું હતું કે, રઘુવંશ કુળનો લવકુશનો સંતાન છું.- હાર્દિક પટેલ
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આજે અહીંયા ભગવાન રામની મૂર્તિનું સ્થાપના કરાઈ છે કે, મે પહેલા પણ કહ્યું હતું કે, રઘુવંશ કુળનો લવકુશનો સંતાન છું.મારાથી મોટો કોઈ હિન્દુ ન હોય અને મારે એ બાબતની સાબિત કરવાની જરૂર નથી. અમે વર્ષોથી ભગવાના રામ ધુન હોય હનુમાનજીની ધુન હોય કે પછી સુંદરકાંડના પાઠ હોય અમે સતત ધાર્મિક પ્રકિયા સાથે અમારો પરિવાર અમારો સમાજ હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલો છે.