બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / રાજકોટના સમાચાર / Hardik Patel Movement warning for crop insurance to cm Rupani At Rajkot cyclone maha
Last Updated: 12:54 PM, 5 November 2019
ADVERTISEMENT
રાજ્યમાં કમોસમી વરસાદ અને ચક્રવાત ક્યાર તેમજ ચક્રવાત મહાને પગલે ખેડૂતોને થયેલા નુકસાન માટે સરકાર દ્વારા પાક વીમાની જાહેરાત કરાઈ છે. પાકને નુકસાન થતા ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે હવે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ ખેડૂતોની તરફેણમાં સરકાર સામે આંદોલનની ચિમકી આપી છે.
પાંચ દિવસમાં સરકાર લાવે નિરાકરણ
રાજકોટથી હાર્દિક પટેલ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યુ હતુ કે, અમે ખેડૂતોનો અવાજ બનવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.જો સરકાર આગામી પાંચદિવસમાં ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહી લાવે તો આંદોલન કરીશું.
ADVERTISEMENT
2015થી પણ વધુ ઉગ્ર આંદોલન કરીશુ
કમોસમી વરસાદથી સૌથી વધુ નુકસાન સૌરાષ્ટ્રના ખેડૂતોને થયું છે.. ખેડૂતોના પ્રશ્નોનું પાંચ દિવસમાં નિરાકરણ નહી આવે તો 2015માં થયેલા આંદોલન કરતા પણ મોટા આંદોલનની હાર્દિકે ચીમકી ઉચ્ચારી છે.
CM રૂપાણીને લીધા આડે હાથ
આ દરિયાન હાર્દિકે સીએમ રૂપાણી પર પણ પ્રહાર કર્યા હતા.. સીએમ રૂપાણી પર પ્રહાર કરતા હાર્દિકે જણાવ્યુ કે, મુખ્યમંત્રીને ખેડૂતો પ્રત્યે કોઈ પણ લાગણી નથી. જો ખેડૂતો પ્રત્યે મુખ્યમંત્રીનેલાગણી હોત તો અત્યાર સુધી તેમના પ્રશ્નોનું નિરાકણ આવી ગયુ હોત.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.