'કોંગ્રેસ તાકાત વાળા નેતાઓને સાચવવા નથી માંગતી, મારી સાથે થયુ તેવુ જીગ્નેશ મેવાણી સાથે ન થાય આગળ અલ્પેશ ઠાકોરને પણ હેરાન કરવામાં આવ્યા હતા'
હાર્દિકે મેવાણી પર આપ્યું મોટું નિવેદન
જિગ્નેશ મેવાણીના હાર્દિક પટેલ પર પ્રહાર
વિચારધારા લોહીના ટીપા બરાબર હોયઃમેવાણી
VTV ન્યૂઝે હાર્દિક પટેલ સાથે એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ લીધું હતું. જેમાં તેમણે કોંગ્રેસ છોડવા પાછળનું કારણ અને ભવિષ્યની કામગીરી લઇ મન ખોલીને ચર્ચા કરી હતી. વાતચીત દરમિયાન હાર્દિકે કોંગ્રેસ પર મોટા આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ માત્ર 7થી 8 લોકો ચલાવે છે. આ લોકો બીજા કોઈને કોંગ્રેસમાં સામેલ કરવા માગતા નથી. કોંગ્રેસે ભાજપના સારા કામમાં પણ વિપેક્ષ નાખવાનું કામ કર્યું છે. સાથે જ તેમણે જણાવ્યું કે, કોંગ્રેસમાં જ્ઞાતિવાદ અને જાતીવાદનું રાજકાણ ચાલી રહ્યું છે. કોંગ્રેસને ગુજરાતના લોકોની કોઈ પરવા નથી. કોંગ્રેસ માત્ર લોકોનું અપમાન, સમાજને ગુમરાહ અને ધર્મના નામે જાતિના નામે લોકોને અલગ કરવાનું કામ કરે છે. આ દરમિયાન તેમણે જીજ્ઞેશ મેવાણી પર નિવેદન આપતા કહ્યું હતું કે મારી સાથે થયુ તેવુ જીગ્નેશ મેવાણી સાથે ન થાય તેવી આશા રાખું છું.
હાર્દિક જીજ્ઞેશ મેવાણીને લઈ શું બોલ્યા?
મેવાણી ગમે તે રાજકિય પાર્ટીમાં હોય પણ તે મારો મિત્ર છે મારો વૈચારિક મતભેદ હોઈ શકે પણ કોંગ્રેસ જે એના માટે આસામ ધરપકડ વખતે જે કઈ કર્યું તે સારી વાત છે. આગળ પણ આવી રીતે કરતી રહી. પણ મિત્ર તરીકે હું ભગવાનને પાર્થના કરું છું મારી સાથે જે રીતે કોંગ્રેસમાં થયું તે મેવાણી સાથે ન થાય. યુવાનોને ખતમ કરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. અલ્પેશ ઠાકોરને પણ પદ આપી હેરાન કરવામાં આવ્યો હતો.
ભાજપ શક્ય જ નથી તેવુ નથી બોલતા, વિચારધારા લોહીના ટીપા બરાબર: જીજ્ઞેશ મેવાણી, કોંગ્રેસ નેતા
કોંગ્રેસ પ્રવેશના ત્રણ વર્ષમાં જ હાર્દિકનો કોંગ્રેસથી પણ મોહભંગ થયો અને કોગેસમાંથી રાજીનામું આપ્યું છે. પરતું કોગેસ છોડીને કોગેસ અનેક આક્ષેપો કરીને કોંગ્રેસના નેતાઓની પોલ ખોલી છે.જેમકે ગુજરાતના નેતાઓ દિલ્લીના નેતાઓને ચિકન સેન્ડવિચ ખવડાવવાની જ ચિંતા કરતા હોય છે. તેમજ કોંગ્રેસ પર લગાવેલા ગંભીર આરોપોનો વળતો જવાબ આપતા કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીએ મોરચો સંભાળ્યો અને મેવાણીએ હાર્દિક પટેલ પર પ્રહાર કરતાં કહ્યું કે, હાર્દિક પટેલ સંઘર્ષના સાથી હતા.દેશના યુવાનો આશાની નજરથી જોતો હતો.વિચારધારા લોહીના ટીપા બરાબર હોય છે. હાર્દિક 3 વર્ષ કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા પણ અચાનક જ એવું તો શું થયું કે નારાજ થઈ ગયા.25-25 દિવસથી હાર્દિકનુ નામ ભાજપ સાથે જોડાયેલુ રહ્યુ.પણ ભાજપ શક્ય નથી તેવુ હાર્દિકે ક્યારેય ન કહ્યુ.
હાર્દિકે ભાજપ પ્રત્યે પ્રીતિ બતાવીને આઈડીયોલોજી બદલી: જીજ્ઞેશ મેવાણી, કોંગ્રેસ નેતા
મેવાણી ચિકન સેન્ડવિચ મુદ્દે કહ્યું કે આ પ્રકારની ટિકા ટિપ્પણી કરવી તે શોભનિય નથી. કોંગ્રેસના શિર્ષ નેતૃત્વએ મારી સાથે ગુજરાતના પ્રશ્નોની ચર્ચા કરી છે. હાર્દિક કહે છે કે કોંગ્રસનુ નેતૃત્વ ગુજરાતના પ્રશ્નોની વાત નથી કરતુ. હાર્દિકને જોત જોતાંમાં અદાણી-અંબાણી માટે કેમ પ્રેમ થયો તે સમજાતું નથી. ભાજપ પ્રત્યે પ્રીતિ બતાવીને આઈડીયોલોજી બદલી રહ્યા છે. ભાજપ અન્ય સમાજ પર થયેલા કેસ કેમ પરત લેતા નથી ? દલિતો અને પદ્માવતી ફિલ્મમાં થયેલા કેસ કેમ ભાજપ સરકાર પરત લેતી નથી ?