નરેશ પટેલ જે પણ પાર્ટી જોઈન કરે ફાયદો થાય, 2017ની ચૂંટણીમાં મારો આમ જ ઉપયોગ થયો હતો: હાર્દિક પટેલ
નરેશ પટેલ સાથે મારી લાગણી છે: હાર્દિક પટેલ
મે કોંગ્રેસના અનુભવ વિશે નરેશ પટેલને કહ્યુ છે
ગઈકાલે કોંગ્રેસ નેતાઓ નરેશ પટેલના ઘરે ગયા હતા
હાર્દિક પટેલે રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાં મન મૂકીને ભડાસ કાઢતા કહ્યું છે કે ગુજરાત કોંગ્રેસમાં માત્ર ને માત્ર જાતિવાદની વાત થાય છે અને ચૂંટણીલક્ષી વ્યૂહરચના પણ જાતિવાદી જ હોય છે. દોઢ મહિના પહેલા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમની જાતિ વિશે વાત કરવામાં આવી હતી. દુ:ખ સાથે કહેવું પડે છે, ગઈકાલે ઘણા કોંગ્રેસ નેતા નરેશભાઈને મળ્યા, અને 12 મિનિટમાં તો બહાર આવી ગયા, ભાઈ 12 મિનિટમાં શું ચર્ચા કરીને આવ્યા? આ માત્ર દેખાડો હતો. 2022માં કોંગ્રેસ પાટીદાર સમાજને ગુમરાહ કરવાનો પ્રયાસ કરે છે, એક CMનો ચહેરો જાહેર કરવામાં આવશે અને પછી જ્યારે હારશે એટલે કહી દેશે કે જુઓ પાટીદાર ચહેરો આગળ કર્યો એટલે હારી ગયા.
..મળીને કહ્યું નરેશભાઈ પસ્તાવો થાય તેવો નિર્ણય ન કરતા: હાર્દિક પટેલ
નરેશ પટેલ સાથે મારી લાગણી છે. મે કોંગ્રેસના અનુભવ વિશે નરેશ પટેલને કહ્યુ છે. ગઈકાલે કોંગ્રેસ નેતાઓ નરેશ પટેલના ઘરે ગયા હતા. 10-12મીનીટમાં નરેશ પટેલના ઘરે મળીને નીકળી ગયા. નરેશભાઈ પસ્તાવો થાય તેવો નિર્ણય ન કરતા એવું સૂચન કર્યું હોવાની વાત જણાવી હતી, નરેશ પટેલ જે પણ પાર્ટી જોઈન કરે ફાયદો થાય, 2017ની ચૂંટણીમાં મારો ઉપયોગ થયો હતો.આ ફેર કોંગ્રેસ નરેશ પટેલને હાથો બનાવવાની કોશિષ કરી રહ્યું છે.
સ નરેશ પટેલનો પોઝિટિવ રિસ્પોન્સ મળ્યાનો કોંગ્રેસનો દાવો
કોંગ્રેસના નેતા લલીત વસોયાનું નિવેદન સામે આવ્યું હતું તેમણે કહ્યું હતું કે નરેશભાઈએ કોઈ મોટું કમિટમેન્ટ માંગ્યું નથી. પણ જો નરેશભાઇના આવવાથી ગુજરાતમાં પાર્ટીનું શાસન આવતું હોય તો પાર્ટી સો ટકા તેમને જ નેતૃત્વ સોંપશે.તેમણે કહ્યું હતું કે નરેશભાઇ તરફથી પોઝિટિવ રિસ્પોન્સ પણ મળ્યો છે. અને તેમણે 100 વિશ્વાસ દર્શાવ્યો હતો કે નરેશભાઇની જે વિચારધારા છે તે મુજબ અને ગુજરાતની સ્થિતિને જોતાં તેઓ કોંગ્રેસમાં જ જોડાય એવું મને લાગી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે નરેશભાઇ ચૂંટણી કઈ રીતે લડવી અને કયા મુદ્દાઓ પર લડીવી તેના પર ચર્ચા કરી રહ્યા છે.
નરેશ પટેલને લઈ ગુજરાત કોંગ્રેસના નેતાઑ દિલ્હી દરબારમાં
ગઈકાલે નરેશ પટેલ અને રઘુ શર્મા વચ્ચે આજે 2 કલાક ચર્ચા ચાલી હતી જેના કારણે ઘણી અટકળોને વેગ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ભાજપના એક ઓપરેશન બાદ હવે કોંગ્રેસ પણ બનતું જોર મારી રાજનૈતિક ગતિવિધિ તેજ કરી રહી છે. હાર્દિક પટેલના રાજીનામાં બાદ કોંગ્રેસ પણ સામે મોટું ઓપરેશન પાર પડે તેવી શક્યતા છે. આજે ગુજરાત કોંગ્રેસના મોટા નેતા રઘુ શર્મા, જગદીશ ઠાકોર, દિલ્હીના પ્રવાસે છે જ્યાં તેઓ કોંગ્રેસ હાઈકમાંડ સાથે સ્પેશિયલ નરેશ પટેલ મુદ્દે ચર્ચા કરવા ગયા હોય તેવુ લાગી રહ્યું છે.