ન્યૂ દિલ્હીઃ ગુજરાતનાં પાટીદાર નેતા હાર્દિક પટેલ મંગળવારનાં રોજ કોંગ્રેસમાં શામેલ થઇ ગયેલ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેઓ પાર્ટીમાં શામેલ થવા પર હાર્દિકનું સ્વાગત કર્યું. કોંગ્રેસમાં શામેલ થયાં બાદ હવે હાર્દિક પટેલ જામનગર લોકસભા સીટથી ચૂંટણી લડવાની અટકળો લગાવવામાં આવી રહેલ છે. જો કે હજી સુધી કોંગ્રેસ તરફથી અધિકારિક રૂપથી કંઇ પણ સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે તે કઇ સીટથી લોકસભા ચૂંટણી લડી શકે છે.
તમને જણાવી દઇએ કે ચૂંટણીની તારીખોનાં એલાન બાદથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે હાર્દિક પટેલ કોઇ પણ દિવસે કોંગ્રેસમાં શામેલ થઇ શકે છે. જાણકારી અનુસાર, હાર્દિકનાં કોંગ્રેસમાં શામેલ થવાંથી પાર્ટીને ગુજરાતનાં તે વિસ્તારોમાં ફાયદો થવાની સંભાવના છે કે જ્યાં પાટીદારોની પક્કડ વધારે છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પાટીદાર સમુદાયને માટે અનામતની માંગને લઇને આંદોલનની આગેવાની કરી ચૂકેલ હાર્દિક પટેલનાં 12 માર્ચનાં રોજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં પાર્ટીમાં શામેલ થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી હતી.
સૂત્રોનાં અનુસાર બેઠક બાદ પાર્ટીનાં શીર્ષ નેતા જ્યાં એક જનસભાને પણ સંબોધિત કરશે. ધ્યાનમાં હશે કે ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે અને કોંગ્રેસ પ્રદેશ પર સંપૂર્ણ ધ્યાન લગાવી રહેલ છે.
ગઇ વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપને પાર્ટીએ અહીં બરાબર ટક્કર આપી હતી. જો કે, 25 વર્ષનાં હાર્દિક પટેલે કેટલાંક દિવસો પહેલાં એક ખાનગી ન્યૂઝ ચેનલને કહ્યું હતું કે, જ્યાં સુધી તેઓની પાસે જનતાની સમસ્યાઓનું સમાધાન ના થાય તો પાર્ટી પોલિટિક્સમાં જવાનો કોઇ જ મતલબ નહીં રહે.
હાર્દિકે કહ્યું કે, તે પૂરા દેશમાં ફરશે અને સત્તાની ખોટી નીતિઓનો વિરોધ કરતા રહેશે. ગુજરાતની ચૂંટણીને ધ્યાને રાખીને પણ સવાલ ઉભો કરનાર હાર્દિક પટેલે એમ પણ કહ્યું હતું કે, ભલે કોંગ્રેસ 3 રાજ્યોમાં જીતી ગઇ છે પરંતુ EVM સાથે છેડછાડનો સવાલ ઉભો છે. પટેલે કહ્યું કે, મધ્યપ્રદેશમાં ઘણાંક મોડેકથી આવેલ પરિણામ ફરીથી સવાલ ઉભા કરી રહેલ છે.