ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલ શનિવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યો હતો. જ્યાં તેણે PM મોદીની વિરુદ્ઘ વારાણસીમાં ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો. હાર્દિક કહ્યુ કે ''તે ગરીબ ખેડૂતો અને યુવાની સમસ્યા જાણવા-સમજવા માટે વારાણસીમાં જ નહી પરંતુ દેશની તમામ જગ્યાએ પહોંચશે.'' આ સાથે SP-BSPની ટિકિટ પર તેણે વારાણસીમાંથી ચૂંટણી લડવાની સંભાવનાઓને વિરામ લગાવી દીધો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રમાં વારાણસીમાં હાર્દિક પટેલ આગામનથી રાજનીતિમાં થોડી હલચલ મચી ગઇ હતી ત્યાં બાબતપુર એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકોએ હાર્દિક પટેલનુ સ્વાગત કર્યુ હતુ અને જે પછી શહેરના રસ્તા પર જગ્યા-જગ્યા પર લોકોએ તેનો કાફલો રોકીને ફૂલમાળા આપીને તેનું અભિવાદન કર્યુ. શહેરમાં પ્રવેશ કરતાની સાથે જ તેણે સૌથી પહેલા સરદાર વલ્લભ ભાઇ પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કર્યુ.
'વારાણસીમાં નથી દેખાઇ રહ્યો વિકાસ'
મીડિયાની સાથે વાત કરતા હાર્દિક પટેલે કહ્યુ કે ''વારાણસીમાં ક્યાંય વિકા નથી દેખાઇ રહ્યો. દેશની જનતામાં મોદીજીને લઇને ગુસ્સતો છે. લોકો પોતાની સાથે ઠગ થયું હોય તેવુ મેહસૂસ કરી રહ્યા છે એટલા માટે તેમની સત્તા વિરુદ્ઘ અવાજ થવો જોઇએ.'' એક સવાલના જવાબમાં હાર્દિક પટેલે કહ્યુ કે ''લોકોને માં ગંગા વારાણસી બોલાવી શકે છે તો અમે અહીંયા પોતાના લોકોને મળવા માટે આવ્યા છીએ.''
'કોંગ્રેસના 70 વર્ષ નહી BJPના 4.5 વર્ષ જુઓ'
હાર્દિક પટેલે સ્પષ્ટ કર્યુ કે ''વારાણસીના પ્રવાસની પાછળ ચૂંટણી લડવાનો વિચાર નથી પરંતુ ખેડૂતો તથા ગરીબ લોકોની સાથે મળીને તેમની સ્થિતિ જાણી અને યુવા-ખેડૂતો માટે કંઇક કરવાની ઇચ્છા છે. દેશમાં સૌથી મોટી સમસ્યા ખેડૂતોના પાકની યોગ્ય કિંમત ના મળી અને બેરોજગારી છે.'' પાટીદાર નેતાએ કહ્યુ કે ''અમે સત્તાની વિરુદ્ઘ છીએ.'' આગામી લોકસભા ચૂંટણાં કઇ દળની સાથે રહેશો તે સવાલ પર કહ્યુ કે ''દરેક જગ્યાએ અલગ-અલગ સમસ્યા છે અને તમામ સમસ્યાને લઇને આગળ વધી રહ્યા છે.''
SP-BSPના ગઠબંધની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં માયાવતીના નિવેદન પર હાર્દિકે કહ્યુ કે ''કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યુ તેને ભૂલીને ભાજપે 4.5 વર્ષમાં શું કર્યુ તેને જોવું જોઇએ.''