ગુજરાતમાં હાલમાં કોંગ્રેસના ધારાસભ્યોએ આપેલા રાજીનામાંને લઇને રાજકારણ ગરમાયું છે. રાજ્યસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાંને લઇને ભાજપ પર તોડ-જોડની રાજનીતિનો આરોપ લગવામાં આવી રહ્યો છે. ત્યારે હાર્દિક પટેલે કહ્યું છે કે જે ગયા તેમનો ઇતિહાસ તપાસો, હવે જનતાએ જાગૃત થવાની જરૂર છે.
કોંગ્રેસમાંથી ધારાસભ્યોના રાજીનામા મામલે હોર્દિક પટેલે કહ્યું કે જે ગયા છે તેમનો ઇતિહાસ તપાસો. કરજણના ધારાસભ્યના પુત્ર સામે કેસ ચાલી રહ્યો છે. જે લોકો ગયા તેમના પોતાના વ્યક્તિગત સ્વાસ્થ માટે ગયા છે.
રાજીનામાં આપેલાં કેટલાક ધારાસભ્યો પર ખનીજ ચોરીના કેસ છે તેઓ ગયા છે. હાર્દિક પટેલે કહ્યું કે મારા માટે પદ મહત્વનું નથી. તમામ ચૂંટણીઓમાં ECના નોટિફિકેશન બાજ જ રાજીનામા પડે છે. ચૂંટણી પંચે આ અંગે ગંભીર રીતે વિચારવું પડશે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 6, 2020
હવે જનતાએ પોતાની ભૂમિકા નિભાવવાનો સમય આવ્યો છે. જનતા સાથે દ્રોહ કરનારને જનતાએ પાઠ ભણાવવાની જરૂર છે. વારંવાર ચૂંટણીઓ યોજી જનતાના પૈસાનો વ્યય થઇ રહ્યો છે.
હાર્દિક પટેલે કહ્યું કે લોકોએ હવે જાગૃત થઇ એકજૂટતા બતાવવાનો સમય આવ્યો છે. જ્યારે પેટાચૂંટણીઓ થઇ છે ત્યારે જનતાએ પક્ષપલટુઓને ભાન કરાવ્યું છે. રાધનપુર, બાયડ સહિતની પેટાચૂંટણીઓમાં આપણે પરિણામો જોયા છે.