અમદાવાદ: હાર્દિક પટેલના ઉપવાસનો આજે 16મો દિવસ છે. ત્યારે હોસ્પિટલની પથારીમાં ઉપવાસ આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલને આજે મેડિકલ ટીમે રાહત આપી હતી. પાટીદાર અગ્રણી હાર્દિક પટેલને આજરોજ SGVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
હાર્દિક પટેલની તબિયત વધારે નાદુરસ્ત થતાં ખોડલધામના પ્રમુખ અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ તેને મનાવવા માટે રાજકોટથી આવી પહોંચ્યા હતા અને પારણા કરી લેવાની વાત કરી હતી જો કે હાર્દિક સહમત ના થતાં તેને સારવાર લેવા પણ ધ્યાન દોર્યું હતું. અંતે હાર્દિક પટેલે સારવાર લેવાની હા પાડતા તેને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આપને જણાવી દઇએ કે ખેડૂતોના દેવામાફી અને અનામતની માગણી સાથે ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલની તબિયત બગડતા ઉપવાસના 14માં દિવસે તેને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
જો કે સિવિલ હોસ્પિટલ સરકાર હસ્તક હોવાથી શંકાના ધોરણે પાસ આગેવાનોએ હાર્દિકને SGVP ખાતે ખસેડ્યો હતો. જ્યાંથી આજે તેને ઘરે જવા આજરોજ છૂટ આપવામાં આવી હતી.