સુરેન્દ્રનગરમાં લાફા બાદ હાર્દિક પટેલે સીધો જ આ મામલે ભાજપ પર આરોપ લગાવ્યો છે. હાર્દિક પટેલે ટ્વીટ કરી કહ્યું કે આજે માત્ર થપ્પડ મારવામાં આવી છે, બની શકે આવતીકાલે ભાજપ મને ગોળી પણ મરાવી શકે છે. હાર્દિક પટેલે જણાવ્યું કે અમે ખેડૂતો અને યુવાનોનો અવાજ ઉઠાવીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરના વઢવાણના બલદાણા ગામે સભામાં એક યુવક સ્ટેજ પર ધસી આવ્યો હતો અને હાર્દિકને તમાચો ઝીંકી દીધો હતો. ત્યારબાદ હાર્દિકના સમર્થકોએ યુવકને ઢોર માર માર્યો હતો.
सुरेन्द्रनगर लोकसभा क्षेत्र के वढवान विधानसभा के बारह गाँव के प्रमुख लोगों को संबोधित किया। सभा के दौरान भाजपा के द्वारा मुझ पर हमला किया.मुझे मालूम है की आज सिर्फ़ थप्पड़ मारने का प्रयास हुआ है लेकिन कल भाजपा मुझे गोली मरवाएगी।हम किसान और नौजवानों की आवाज़ उठाते हैं।जय हिंद pic.twitter.com/SzmT6LSByp
સુરેન્દ્રનગરના બલદાણા ગામે હાર્દિક પટેલ કોંગ્રેસની જનઆક્રોશ સભા સંભોધી રહ્યો હતો. ત્યારે અચાનક જ અજાણ્યા યુવકે લાફો મારી દેતા હોબાળો મચી ગયો હતો. આ ઘટના બાદ સભામાં હાજર લોકોએ યુવકને પકડી અને તેને ઢોર માર માર્યો હતો. અચાનક જ લાફો મારી દેતા હાર્દિક ચોંકી ગયો હતો. ઘટનાબાદ સ્થાનિકોએ હાર્દિકને લાફો મારનારની જોરદાર ધોલાઇ કરી હતી. લોકોએ શખ્સના કપડાં ફાડી નાંખ્યા. જો કે હાર્દિક પટેલે પોતાના સમર્થકોને રોકવાનો પ્રયત્ન કર્યો.
હાર્દિક પટેલને લાફો મારવાના મામલાને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ કડક શબ્દોમાં વખોડી નાંખી છે. પોરબંદરના લોકસભા સીટના ઉમેદવાર લલિત વસોયાએ કહ્યું છે કે ભાજપ હાર ભાલી ગયું હોય એટલે આવા કૃત્યો કરે છે. જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે હાર્દિક પટેલ સાથે આવું થયું તે અયોગ્ય છે.