જામનગરના ફરી ખેડૂતોને કંપની કનડગત કરતી હોવાનો મુદ્દો ચગ્યો છે. ખાવડી પાસે આવેલી રિલાયન્સ કંપની દ્વારા ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હાર્દિક પટેલે રિલાયન્સ કંપની ખેડૂતોને હેરાન કરતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. આ મુદ્દે હાર્દિક પટેલે સ્થાનિક નેતાઓ પર પણ આક્ષેપ કર્યા છે.
હાર્દિકે પોતાના ભાષણમાં જણાવ્યું કે ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામાં સ્થાનિક નેતાઓને પણ રસ નથી. હાર્દિકે જામનગરના સ્થાનિક નેતાઓ રિલાયન્સ કંપનીના ઠેકેદારો હોવાનો ઇશારો કર્યો છે. તેમણે સ્થાનિક નેતાઓ રિલાયન્સ કંપની પાસેથી રોકડી કરી લેતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
હાર્દિકે જણાવ્યું કે જામનગર-ખંભાળિયાના નેતાઓ ખેડૂતો કરતા કંપનીની ચિંતા કરે છે. નેતાઓને પણ કંપની પ્રત્યે ખુબ પ્રેમ છે. જામનગરના ખેડૂતો રિલાયન્સ કંપનીથી ત્રસ્ત છે. કંપનીએ ઘણા ખેડૂતોની જમીન પર પણ કબ્જા કર્યા હોવાના આક્ષેપ છે.
રિલાયન્સ કંપનીએ ખેડૂતોને પુરતુ વળતર પર ના આપ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક નેતાઓ કંપનીની ફેવરમાં કામ કરતા હોવાથી ખેડ઼ૂતો પરેશાન છે. ત્યારે ખેડૂતોની રજૂઆતોને રિલાયન્સ કંપનીના દબાણના કારણે નેતાઓ પણ ઉઠાવતા ન હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે.