ખોડલધામના પ્રમુખ અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ અને માં ઉમા ધામના પ્રમુખ પ્રહલાદ પટેલ સહિતના આગેવાન પારણા કરાવશે તેવી જાહેરાત પાસ અગ્રણી મનોજ પનારાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કરી હતી. આજે હાર્દિક પટેલના પારણા 19મો દિવસ છે ત્યારે આજે બપોરે 3 વાગે હાર્દિક પટેલ પાટીદાર સમાજના અગ્રણીનો હાથ પારણા કરશે.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેના સમર્થનમાં દેશભરમાંથી નેતાઓ લોકો આવી રહ્યા છે. પાટીદારો જ નહીં અન્ય સમાજનું પણ તેને સમર્થન મળી રહ્યું છે. ત્યારે આજે હાર્દિકના પારણાની જાહેરાત કરવામાં આવી છે.
પાટીદાર નેતા હાર્દિક પટેલને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ અને માં ઉમાધામના પ્રમુખ પ્રહલાદ પટેલના હસ્તે 3 વાગ્યે પારણા કરાવવાની જાહેરાત કરી છે.
બીજી તરફ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે સરકારે તાનાશાહી રાખીને હાર્દિકની માગણીઓ ન સ્વિકારી. ત્યારે આજરોજ પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા વિરુદ્ધ રાજદ્રોહ કેસની આજે સુનાવણી થવાની છે ત્યારે આ મામલે જોવું જ રહ્યું કે અલ્પેશનો છુટકારો થાય છે કે નહીં.