ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય નેતૃત્વએ તેમની કામગીરી પર અસંતોષ વ્યક્ત કર્યા બાદ વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું હતું.
રૂપાણીના રાજીનામાં બાદ વિપક્ષના ટાર્ગેટ પર ભાજપ
હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ સરકારને આડેહાથ લીધી
RSS અને ભાજપનો ગુપ્ત સર્વેનું આ પરિણામ: હાર્દિક પટેલ
અચાનક લેવાયેલા નિર્ણયમાં ભાજપના નેતા વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને માત્ર એક વર્ષ બાકી છે. રાજીનામું આપતાની સાથે જ વિપક્ષના નિશાન પર ભાજપ સરકાર આવી છે. જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલે ટ્વિટ કરી રાજીનામાં પાછળના કારણો જણાવ્યા છે જીગ્નેશ મેવાણીના મતે કોરોના અને ચૂંટણી તો હાર્દિક પટેલના મતે ઓગસ્ટમાં આરએસએસ અને ભાજપનો ગુપ્ત સર્વે આ માટે જવાબદાર છે.
Gujarat CM Vijay Rupani resigns:
People of Gujarat would have appreciated had Mr. Rupani resigned for his monumental mismanagement of Covid crisis.
This resignation comes purely to
take care of electoral arithmetic keeping 2022 assembly polls in mind.
કોરોનાનો ગેરવહીવટ અને ચૂંટણીના અંકગણિતને કારણે રાજીનામું દેવું પડ્યું: જીગ્નેશ મેવાણી
અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કોરોનામાં ગેરવહીવટ માટે મુખ્યમંત્રી રૂપાણીને જવાબદાર ઠેરવ્યા છે. મેવાણીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, "ગુજરાતના લોકોએ પ્રશંસા કરી હોત જો રૂપાણીએ તેમના કોવિડ સંકટના સ્મારક ગેરવહીવટ માટે રાજીનામું આપ્યું હોત."ધારાસભ્ય મેવાણીએ કહ્યું છે કે, "આ રાજીનામું 2022 ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમજ ચૂંટણીના અંકગણિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે.
मुख्यमंत्री रूपानी को बदलने का प्रमुख कारण!!
अगस्त में आरएसएस और भाजपा का गुप्त सर्वे चौंकाने वाला था। कांग्रेस को 43% वोट और 96-100 सीट, भाजपा को 38% वोट और 80-84 सीट, आप को 3% वोट और 0 सीट, मीम को 1% वोट और 0 सीट और सभी निर्दलीय को 15% वोट और 4 सीट मिल रही थी।
ભાજપે મુખ્યમંત્રી બદલ્યા જનતા સરકાર બદલશે: હાર્દિક પટેલ
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે ભાજપે મુખ્યમંત્રી બદલ્યા જનતા સરકાર બદલશે આ સાથે જ તેમણે ભાજપમાં કરાયેલા સર્વે વિષે પણ વાત કરી હતી અને ટ્વીટ કરી જણાવ્યું હતું કે ઓગસ્ટમાં આરએસએસ અને ભાજપનો ગુપ્ત સર્વે ચોંકાવનારો હતો. કોંગ્રેસને 43% મત અને 96-100 બેઠકો, ભાજપને 38% મત અને 80-84 બેઠકો, AAP ને 3% મત અને 0 બેઠકો, MIME ને 1% મત અને 0 બેઠકો અને તમામ અપક્ષોને 15% મત અને 4 બેઠકો મળી હતી.
भाजपा ने सिर्फ़ मुख्यमंत्री बदला है लेकिन गुजरात के साढ़े छह करोड़ लोगों ने सरकार बदलने का मूड बनाया हैं। pic.twitter.com/YrkAnlwj3H
શું કેન્દ્રનું નેતૃત્વ વિજય રૂપાણીના કામથી નારાજ હતું?
સૂત્રો મુજબ મળતી માહિતી પ્રમાણે રૂપાણીએ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા તેમની કામગીરી પર નારાજગી વ્યક્ત કર્યા બાદ રાજીનામું આપ્યું હતું. સૂત્રોનું કહેવું છે કે ભાજપ દ્વારા આ "કોર્સ કરેક્શન" છે. ભાજપ તેના રાજ્યોના નેતૃત્વમાં અનિશ્ચિતતા અનુભવે છે અને વસ્તુઓને ફેરવવા આતુર છે. કર્ણાટક, ઉત્તરાખંડ એ વાતના તાજા ઉદાહરણો છે જ્યાં ભાજપે તેના મુખ્યમંત્રી બદલ્યા છે. ભાજપે છેલ્લા 6 મહિનામાં 6 મુખ્યમંત્રી બદલી નાખ્યા છે.મે મહિનામાં રાજ્ય પર કોવિડથી મૃત્યુઆંક ઓછો નોંધવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જુલાઇ મહિનામાં, સુપ્રીમ કોર્ટે કોવિડ હોસ્પિટલોમાં આગ સલામતીના નિયમો અંગેના સર્વોચ્ચ અદાલતના આદેશને રદ કરવા માટે સૂચના લાવવા બદલ વિજય રૂપાણીના નેતૃત્વવાળી સરકારને ઝાટકી હતી.