ખેડૂતોને આ વખતે મૌસમે દગો આપ્યો છે ત્યારે તે પોતે પોતાની આપવીતી કોને જઈને કહે તે પ્રશ્ન બન્યો છે આ માટે સરકારે પાક વીમાની જાહેરાત કરી પણ શું ખરેખર પાક વીમો ખેડૂતો સુધી પહોંચ્યો કે નહીં તેની તસ્દી લેવાની ન તંત્રને પરવાહ છે ન જરૂરત ત્યારે પાક વીમાને લઈને કોંગ્રેસ ભાજપ સરકારને ઘેરવાના મૂળમાં છે એટલે જ રાજકોટ પડધરી ખાતે ખેડૂત સત્યાગ્રહ આંદોલન શરૂ થઈ ગયુ છે. આ સાથે જ જૂનાગઢ, જામનગર, નવસારી, સુરેન્દ્ર નગરમાં પણ ખેડૂતોના પક્ષે સરકાર વિરોધી દેખાવો થયા હતા.
રાજકોટમાં પ્રતીક ઉપવાસ શરૂ
લલિત કથગરા, હાર્દિક પટેલની આગેવાનીમાં આંદોલન
પાક વીમા, દેવા માફીના મુદ્દે સત્યાગ્રહ
આંદોલનમાં હાર્દિક પટેલ, લલિત કગથરા અને ખેડૂત સંગઠન અને ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા છે. ખેડૂતોને પાક વીમો, દેવા માફી સહિતના મુદ્દે પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યુ છે. પાક વીમાને લઈને કોંગ્રેસના નેતાઓ મેદાને આવ્યા છે. ત્યારે હવે કોંગ્રેસના નેતા લલિત કગથરાએ પ્રતિક્રિયા આપી છે કે, કેબિનેટમાં સરકાર દ્વારા પાક વીમો ચૂકવવાનો નિર્ણય લેવો જોઈએ. સરકાર દ્વારા ખેડૂતોને અત્યાર સુધી ઘણી વખત લોલીપોપ આપવામાં આવ્યા છે. અને જો હવે સરકારને ખેડૂતોને કઈંક આપવુ જ છે તો પાક વીમો આપવો જોઈએ. સાથે જ તેમણે લીલો દુષ્કાળ જાહેર કરવાની પણ માગ કરી છે. સરકારે લીલો દુષ્કાળ જાહેર કરીને 100 ટકા વીમો આપવાની લલિત કગથરાએ માગ કરી છે.
જૂનાગઢમાં પણ જનાક્રોશ
જૂનાગઢમાં જનાક્રોશ રેલીનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે પરેશ ધાનાણીના આગેવાનીમાં આજે રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખેડૂતો, બેરોજગારી, મંદી સહીત મુદ્દાઓને લઇ રેલી યોજીને વિરોધ કરવામાં આવ્યો છે. પાક નુકસાનીથી ખેડૂતોને સહાય ન મળતા આદોલન શરૂ કર્યો છે.
પાક વીમાને લઈને કોંગ્રેસના MLA લલિત કગથરાનું નિવેદન
કેબિનેટ બેઠકમાં સરકારે પાક વીમો ચૂકવવાનો નિર્ણય લેવો જોઈએ. સરકારે અત્યાર સુધી ખેડૂતોને ઘણી વખતે લોલીપોપ આપ્યા. સરકારને ખેડૂતોને કઈ આપવુ હોય તો પાક વીમો આપવો જોઈએ. 140થી 160 ટકા વરસાદ બાદ પણ લીલો દુષ્કાળ જાહેર કરાયો નથી. સરકારે લીલો દુષ્કાળ જાહેર કરીને 100 ટકા વીમો આપવો જોઈએ.
જામનગરમાં કોંગ્રેસની જન વેદના રેલી
જામનગરમાં કોંગી કાર્યકરોએ કૃષિ મંત્રીની કચેરીએ ઘેરાવો કર્યા હતા જેમાં પોલીસ અને કોંગ્રેસ કાર્યકરોમાં ચકમક ઝરી હતી. યુવા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિતના ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. કૃષિ મંત્રીની ઓફીસ ચડતા કાર્યકારોને અટકાવાયા હતા.
સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા જન સંવેદના આંદોલન
આંદોલનને લઇ શહેરના મુખ્ય માર્ગ પર રેલી યોજાઈ હતી. ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે રેલી યોજાઈ હતી. કોંગ્રેસના અર્જુન મોઢવાડીયા સહીત ધારાસભ્યો આ રેલીમાં જોડાયા હતા.
ખેડૂતો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી યોજી જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
નવસારીમાં વિવિધ પ્રશ્ર્નને લઈ જિલ્લા કોંગ્રેસના ધરણા
વાંસદાના ધારાસભ્ય સાથે કાર્યકરો ધરણાં જોડાયા હતા. સરકાર વિરુદ્ધ સુત્રોચાર સાથે રોડ પર ચક્કાજામ કર્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી અટકાયત કરવાની તજવીજ હાથ ધરી હતી.