BCCI એ હાલ મર્યાદિત ઓવરના ક્રિકેટમાં બે અલગ-અલગ કેપ્ટનો પર વિચાર કરી રહ્યું છે જો આવું થયું તો રોહિત શર્મા ODI ટીમની કેપ્ટનશિપ સંભાળશે અને હાર્દિક પંડ્યા T20 ટીમની કમાન સંભાળી શકે છે.
BCCI એ હાલ અલગ અલગ ફોર્મેટ માટે બે કેપ્ટનો પર વિચાર કરી રહ્યું છે
હાર્દિક બની શકે છે T20નો કેપ્ટન
વર્લ્ડ કપની હાર પર યોજાશે સમીક્ષા બેઠક
ટી20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાનું કોઈ એવું ખાસ પ્રદર્શન નથી રહ્યું અને સેમિફાઇનલમાં પંહોચીને ખૂબ કારમી હાર સાથે ટીમ ઈન્ડિયા બહાર ફેંકાઇ હતી. આ હાર બાદ આવનાર દિવસોમાં ભારતીય ક્રિકેટમાં મોટા ફેરફારો થઈ શકે છે. જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI એ હાલ મર્યાદિત ઓવરના ક્રિકેટમાં બે અલગ-અલગ કેપ્ટનો પર વિચાર કરી રહ્યું છે. અહેવાલો અનુસાર જાન્યુઆરીમાં શ્રીલંકા સામેની સંભવિત સીરિઝમાં આ અલગ અલગ કેપ્ટનના નિર્ણયને લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે પણ અહિયાં સવાલ એ ઊભો થાય છે કે શું બીસીસીઆઈ હવે પેનિક બટન દબાવવા તરફ આગળ વધ્યું છે?
#TeamIndia put up a fight but it was England who won the match.
We had a solid run till the semifinal & enjoyed a solid support from the fans.
હાર્દિક બની શકે છે T20નો કેપ્ટન
એટલે કે જો ભારત ODI અને T20 સિરીઝમાં શ્રીલંકા સામે બે અલગ-અલગ કેપ્ટન સાથે મેદાનમાં ઉતરી શકે છે, જો આવું થયું તો આ સ્થિતિમાં રોહિત શર્મા ODI ટીમની કેપ્ટનશિપ સંભાળશે અને હાર્દિક પંડ્યા T20 ટીમની કમાન સંભાળી શકે છે. જણાવી દઈએ કે ભારતીય ટીમે શ્રીલંકા સામે ત્રણ વનડે અનેટી-20 મેચ રમવાની છે.
જો કે આ વિશે બીસીસીઆઈના અધિકારીએ જણાવ્યું હતું કે 'આ વાતની પુષ્ટિ કરવા માટે આ ઘણો વહેલો સમય કહેવાય પણ હા, અમે વિચારી રહ્યા છીએ કે શું ODI અને T20 ટીમો માટે અલગ-અલગ કેપ્ટનની નિમણૂક કરવી યોગ્ય રહેશે. આવું વિચાર પાછળ એ જ કારણ છે કે આ નિર્ણય ખેલાડીના વર્કલોડને ઘટાડી શકે છે. 2023માં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને T20 માટે નવા અભિગમની સાથે નિરંતરતાની પણ જરૂર છે. જો કે આ વિશે અમે વિચારશું અને કઈ નક્કી થશે તો આ યોજના જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે.'
Devastated, gutted, hurt. Tough to take, for all of us. To my teammates, I’ve enjoyed the bond that we built - we fought for each other every step of the way. Thank you to our support staff for their endless dedication and hardwork for months on end. pic.twitter.com/HlVUC8BNq7
વર્લ્ડ કપની હાર પર યોજાશે સમીક્ષા બેઠક
હાલ સામે આવેલ એક રિપોર્ટ અનુસાર BCCI કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને પણ મીટિંગ માટે બોલાવી શકે છે. BCCI અધિકારીએ આ વિશે જણાવ્યું હતું કે 'અમે એ માટે મીટિંગ માટે બોલાવી રહ્યા છીએ. સેમિફાઇનલમાં જે બન્યું તેનાથી અમે બધા જ આશ્ચર્યચકિત છીએ અને પરિવર્તનની જરૂર દેખાઈ રહી છે. પણ એ લોકોનો પક્ષ સાંભળ્યા વિના કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં.એમનો પક્ષ સાંભળીને ભારતીય T20 ટીમ માટે ભાવિ રણનીતિ નક્કી કરવામાં આવશે.'