ભારત અને આયરલેન્ડ વચ્ચે બે ટી-20 રમાનાર છે અને તે માટે ટીમ ઈન્ડીયા આયરલેન્ડનો પ્રવાસ ખેડશે. બીસીઆઈએ હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડીયાની જાહેરાત કરી દીધી છે. બીસીસીઆઈએ હાર્દિક પંડ્યાને કેપ્ટન અને ભુવનેશ્વર કુમારને વાઈસ કેપ્ટન તરીકે જાહેર કર્યો છે. આ સિરિઝમાં ઋષભ પંતને લેવાયો નથી, તેને આરામ અપાયો છે જ્યારે સૂર્યકુમાર યાદવે ટીમમાં લેવાયો છે.
Hardik Pandya to lead the Indian team in the two-match T20I series against Ireland later this month: BCCI pic.twitter.com/4wHdnqqgML
ઈંગ્લેન્ડ પ્રવાસ અગાઉ ટીમ ઈન્ડિયાને આયર્લેન્ડ સામે બે મેચની ટી-20 શ્રેણી રમવાની છે. આ બંને મેચ 26 અને 28 જૂને રમાશે. આ શ્રેણી માટે સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે યુવા ટીમને મોરચે ઉતારવામાં આવી છે. આ મેચોનું પ્રસારણ ભારતીય સમયાનુસાર રાત્રે 9 વાગ્યે કરવામાં આવશે.