ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું માનવું છે કે 2021નો ટી20 વર્લ્ડ કપ તેના કરિયરની સૌથી મોટી જવાબદારી છે. કારણકે ધોનીની ગેરહાજરીમાં ફિનિશર તરીકે સંપૂર્ણ જવાબદારી તેના ખભા પર રહેશે.
હાર્દિકે ધોની વિશે કહી ખાસ વાત
તે જ મને શાંત કરાવી શકે છે
મને પલંગ આપી પોતે નીચે ઉંઘ્યા હતા
ધોની જ મને શાંત કરાવી શકે છે
એક ઇન્ટરવ્યૂ દરમિયાન હાર્દિકે કહ્યું કે આ કરિયરની સૌથી મોટી ચેલેન્જ છે. મહેન્દ્ર સિંહ ધોની આ વખતે નથી માટે ફિનિશર તરીકે મારા ખભા પર મોટી જવાબદારી છે. સાથે જ ધોની વિશે તેણે કહ્યું, શરૂઆતથી જ ધોની મને સમજતાં આવ્યા છે. હું કેવી રીતે કામ કરું છું, મને શું ગમે છે શું નથી ગમતું દરેક વસ્તુ ધોની સમજે છે.
મને બેડ આપી પોતે જમીન પર ઉંઘ્યા હતા
પંડ્યાએ કહ્યું, એક ટીવી શો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી જ્યારે તે 2019માં ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર વાપસી કરી રહ્યો હતો ત્યારે ધોનીએ તેની સાથે વાત કરી હતી. તેણે કહ્યું, શરૂઆતમાં મારી પાસે કોઇ હોટલ રૂમ નહોતો પછી મને ફોન આવ્યો કે અહી આવી જા. MS ધોની પલંગ પર નથી સુતો તે નીચે ઉંઘે છે તો તું પલંગ પર સૂઇ જા. તે પહેલો વ્યક્તિ હતો જે મારી સાથે હંમેશા હતો. તે મને ખુબ ઉંડાણથી ઓળખે છે. હું તેમની ખુબ નજીક છુ અને માત્ર તે જ મને શાંત કરાવી શકે છે.
ધોની બન્યો મેન્ટર
BCCIએ હાલમાં જ ધોનીને ICC ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાનો મેન્ટર બનાવ્યો છે. આ વાતનું એલાન જય શાહે પોતે કર્યું હતું. સાથે જ BCCIના ટ્વિટર અકાઉન્ટ પરથી 2 તસવીરો પણ પોસ્ટ કરવામાં આવી છે. જેમાં પ્રેક્ટિસ સેશન્સ દરમિયાન ખેલાડીઓ સાથે ધોની પણ નજર આવી રહ્યો છે. કેપ્શનમાં લખ્યું છે, વાર્મ વેલકમ ટુ ધ કિંગ. ટી 20 વર્લ્ડ કપમાં ભારતની પહેલી મૅચ 24 ઓક્ટોબરે પાકિસ્તાન વિરુદ્ધ દુબઇમાં થશે. આ હાઇ વોલ્ટેજ ખેલની પૂરા જોશથી તૈયારી થઇ રહી છે.