BCCIના એક અધિકારીએ જણાવ્યું કે સિલેક્શન કમિટિ અને ટીમ મેનેજમેન્ટે બોર્ડની સામે એક રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.
ભારત અને ન્યૂઝીલેન્ડ સામે રમાશે મેચ
આ ખેલાડીઓને કરવામાં આવી શકે છે ટીમની બહાર
2-3 દિવસમાં જાહેર કરવામાં આવશ ે ટીમ
ટી 20 વર્લ્ડ કપ-2021માં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ ટીમ ઈન્ડિયાની સફર સેમીફાઈનલ પહેલા જ પૂર્ણ થઈ ગઈ. વર્લ્ડ કપમાં ફ્લોપ શો બાદ ભારતીય ટીમ હવે ન્યૂઝીલેન્ડ સામે ઘરેલૂ સીરીઝ રમશે. જેના માટે ટીમની જાહેરાત એક કે બે દિવસની અંદર થઈ શકે છે. ટી 20 વર્લ્ડ કપમાં સરેરાશ પ્રદર્શન કરનાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પર તલવાર લટકી રહી છે. ટીમમાંથી તેમની છુટ્ટી થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર બીસીસીઆઈ ટીમ મેનેજમેન્ટને પ્રશ્ન કરી શકે છે કે અનફિટ ખેલાડીઓને મેદાન પર કેમ ઉતારવામાં આવ્યા હતા. આઈપીએલ-2021 બાદ તેમને તેમને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં કેમ મોકલવામાં ન આવ્યા.
બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટને બોર્ડની સામે એક રિપોર્ટ સોવાનો રહેશે. તેમાં હાર્દિક પંડ્યાનું નામ પણ હોઈ શકે છે. ટીમ ઈન્ડિયા અને પસંદગી સમિતિને ખબર હતી કે હાર્દિક પંડ્યા ઈજા ગ્રસ્ત છે તેમ છતાં તેમને ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વિરૂદ્ધ મેચમાં સામેલ કરવામાં આવ્યા. હાર્દિકે પાકિસ્તાન વિરૂદ્ધ મેચમાં બોલિંગ પણ ન હતી કરી. તેનાથી ટીમ ઈન્ડિયાને છઠા બોલરની કમી ખલી.
ખુશ નથી BCCI
રિપોર્ટ અનુસાર BCCI આ આખા એપિસોડથી ખુશ નથી. બોર્ડ પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટ પાસેથી રિપોર્ટ માંગી શકે છે. હાર્દિક પંડ્યાને ન્યૂઝીલેન્ડના વિરૂદ્ધ થનાર સીરીઝ માટે ટીમ ઈન્ડિયાથી બહાર કરવામાં આવી શકે છે. તેમને રિકવર થવા માટે NCA મોકલવામાં આવી શકે છે. બીસીસીઆઈ ફક્ત હાર્દિકના મામલાને લઈને ગંભીર નથી. પરંતુ મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તી પર પણ સવાલ કરવામાં આવી શકે છે. વરૂણ ફિટનેસને લઈને સંઘર્ષ કરી રહ્યો છે. તેમને લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ પર પસંદ કરવામાં આવ્યા છે.
અધિકારીએ જણાવ્યું કે હાર્દિક રિકવર થવા માટે NCA જવાની જગ્યા પર મુંબઈ ઈન્ડિયન્સની સાથે રહેવાનું પસંદ કરે છે. તેમાં BCCI ખુશ નથી. પરંતુ હવે ટી20 વર્લ્ડ કપ બાદ હાર્દિક પંડ્યા લાંબા બ્રેક પર જઈ શકે છે અને તેમને NCA મોકલવામાં આવી શકે છે.
ન્યૂઝીલેન્ડ સીરીધ માટે આ હોઈ શકે છે ભારતીય ટીમ
ઋતુરાજ ગાયકવાડ, રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વેંકટેશ ઐયર, સૂર્યકુમાર યાદવ, હર્ષલ પટેલ, અવેશ ખાન, મોહમ્મદ સિરાજ, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, ચેતન સકારિયા, શ્રેયસ ઐયર, રાહુલ ચહર, ટી નટરાજન, મયંક અગ્રવાલ અને મનીષ પાંડે .