ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે ત્યારે કેપ્ટન કોહલીએ ટેસ્ટ સિરીઝ શરુ થાય તે પહેલા હાર્દિક પંડ્યાને લઈને મોટું નિવેદન આપ્યું છે.
ટી-20 સિરીઝમાં ભારતનો ભવ્ય વિજય
ટી-20 અને વનડેમાં પંડ્યાએ કર્યું શાનદાર પ્રદર્શન
વિરાટ કોહલીએ ટેસ્ટ સિરીઝ પહેલા આપ્યું મોટું નિવેદન
પંડ્યાએ બોલિંગ કરવી પડશે
કાંગારુંઓ સામેની મેચમાં ભારતીય ટીમના હાર્દિક પંડ્યાએ ઓછી ઓવરમાં શાનદાર પ્રદર્શન કર્યું છે જેમાં પંડ્યાએ પહેલી અને ત્રીજી વનડેમાં 90 અને 92 રન ફટકાર્યા. બીજી T 20 મેચમાં પણ પંડ્યાએ 42 રન ફટકાર્યા છે પણ કેપ્ટન કોહલીએ કહ્યું છે કે ટેસ્ટ ક્રિકેટમાં ઓલરાઉન્ડરના રૂપમાં રમવું હોય તો તેમણે નિયમિત રૂપથી બોલિંગ કરવી પડશે.
પંડ્યાને માત્ર બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતારવા તૈયાર નથી કેપ્ટન
કોહલીને પૂછવામાં આવ્યું કે શું ટેસ્ટમાં તે પંડ્યાને બેટ્સમેનના રૂપમાં ઉતારવું પસંદ કરશે ? તો તેમણે ના પાડી દીધી. કોહલીએ કહ્યું કે હાર્દિક બોલિંગ નથી કરી શકતા અને અમને જાણ છે કે તે કરી નહીં શકે, IPLમાં પણ જોવા મળ્યું છે કે તે કઈ માનસિકતામાં છે પણ ટેસ્ટ તો અલગ જ પડકાર છે અને અમને બોલિંગની જરૂર છે.
બોલિંગ ફોર્મમાં સુધાર કરવા પંડ્યાને કોહલીની સલાહ
કોહલીએ કહ્યું કે અમે આ વિષય પર તેના સાથે વાત કરી છે, તે એક એવો ખેલાડી છે જે સાઉથ આફ્રિકા અને ઈન્ગ્લેન્ડ સામે સંતુલન આપે છે અને બોલિંગમાં એક બેલેન્સ લઇને આવે છે.
કોહલીએ કહ્યું કે પંડ્યા પોતે જ બોલિંગ કરવા માંગે છે અને તે સુનિશ્ચિત કરવા માંગે છે કે ટેસ્ટ માટે તે ઉપલબ્ધ રહે કારણ કે પાંચ દિવસની મેચમાં વધારાના યોગદાનની ખૂબ જરૂર રહે છે. જોકે પંડ્યાએ હજુ પોતાની બોલિંગ ફોર્મમાં આગળ વધવાની જરૂર છે.