બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / શું ડિવોર્સની ખબર PR સ્ટ્રેટેજીનો એક ભાગ? હાર્દિક-નતાશાને લઈને યુઝરનો ચોંકાવનારો દાવો, પોસ્ટ થઈ વાયરલ
Last Updated: 05:51 PM, 27 May 2024
ભારતીય ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક આ સમયે પોતાના લગ્ન જીવનમાં ચાલી રહેલી ઉથલ પાછલની ખબરોને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ખબર અનુસાર તેમની મેરિડ લાઈફમાં કંઈ ઠીક નથી ચાલી રહ્યું. બન્નેના ડિવોર્સની થબક સામે આવી રહી છે. ડિવોર્સની ખબર તે સમયે સામે આવી જ્યારે નતાશાએ પોતાના નામની આગળથી પંડ્યા સરનેમ હટાવી નાખી.
ADVERTISEMENT
જોકે બન્ને સ્ટાર્સે હજુ સુઝી આ વાતને લઈને કોઈ ઓફિશ્યલ નિવેદન નથી જાહેર કર્યું. પરંતુ આ વચ્ચે અત્યાર સુધી યુઝર્સે દાવો કર્યો છે કે હાર્દિક અને નતાશાએ જાણીજોઈને ડિવોર્સની ખોટી ખબર ફેલાઈ છે. આ બધુ હાર્દિકની પીઆર સ્ટ્રેટેજીનો એક ભાગ છે. એવું કેમ કરવામાં આવ્યું તેને લઈને તેણે પોતાની પોસ્ટમાં દરેક વાત લખી છે.
ADVERTISEMENT
યુઝરે હાર્દિક નતાશાના ડિવોર્સને ગણાવ્યો પીઆર સ્ટંટ
હકીકતે Reddit પર એક યુઝરે હાર્દિક અને નતાશાના ડિવોર્સને લઈને એક લાંબી પોસ્ટ શેર કરી છે. આટલું જ નહીં તેમણે બન્નેને લઈને જે દાવો કર્યો છે તે ચોંકાવનારો છે. આ પોસ્ટમાં તે યુઝરે લખ્યું, "મેં નજીકના સૂત્રો પાસેથી સાંભળ્યું છે કે હાર્દિક અને નતાશા ઓપન અરેન્જ મેરેજમાં છે. તે બન્ને એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા અને ઈંગ્લેન્ડમાં ભારતના વર્લ્ડ કપના બાદ ઓગસ્ટ 2019 નવેમ્બર 2019ની વચ્ચે તેમનું રિલેશન બન્યું."
લગ્ન પહેલા પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી નતાશા
તેમણે પોતાની આ પોસ્ટમાં આગળ લખ્યું, "પરંતુ રિલેશન વખતે નતાશા પ્રેગ્નેન્ટ થઈ ગઈ અને બન્નેએ પોતાના સંબંધને આગળ વધારવાનો નિર્ણય કર્યો. આ કારણે તેમણે વર્ષ 2020 ન્યૂ યર વખતે સગાઈની જાહેરાત કરી પરંતુ કોવિડના કારણે લગ્ન ગ્રાન્ડ રીતે ન થઈ શક્યા. તેમના લગ્નની શરતો હંમેશા સ્પષ્ટ હતી. તેમના લગ્નની શરતોમાં એક વસ્તુ સંપૂર્ણ રીતે સ્પષ્ટ હતી કે તે બન્ને જેની સાથે રહેવા માંગે રહી શકે છે."
આ કારણે ફેલાવવામાં આવી ડિવોર્સની ખબર
યુઝરે દાવો કર્યો છે કે, "ડિવોર્સની અચાનક ફેલાયેલી અફવાહ પણ સહમતિની સાથે જ ફેલાવવામાં આવી છે. ડિવોર્સ નથી થઈ રહ્યા. પરંતુ આખા આઈપીએલ અને ફ્લોપ શો બાદ સિમ્પતી માટે હાર્દિક અને સહાનુભૂતિ મેળવવા માટે પીઆર સ્ટ્રેટિજી હેઠળ આવી અફવા ફેલાવવામાં આવી છે. એવામાં બન્ને ટૂંક સમયમાં જ એક જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરી શકે છે અને અફવાહનું સંપૂર્ણ રીતે ખંડન કરી શકે છે. જેને તેમણે પોતેજ ફેલાવી છે."
વધુ વાંચો: ગૌતમ અદાણીએ રોકાણકારોને કર્યા માલામાલ, 1 લાખના થયા 44 લાખ રૂપિયા
આ યુઝરની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તેની વાત કેટલી સાચી છે તેના વિશે હાલ કંઈ કહી ન શકાય જ્યાં સુધી હાર્દિક અને નતાશાની તરફથી કોઈ નિવેદન જાહેર ન કરવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.