'ભવિષ્યમાં પંડ્યા તેનું આખું ધ્યાન ટી20 ક્રિકેટ પર લગાવી શકે છે અને ફક્ત પંડ્યા જ નહિ પણ બીજા ઘણાં ખેલાડીઓ અન્ય બધા ફોર્મેટ કરતાં એકને પસંદ કરી શકે છે.'
હાર્દિક આવતા વર્ષે વનડે ક્રિકેટમાંથી સન્યાસ લઇ શકે છે
ટેસ્ટ ક્રિકેટ હંમેશા રહેશે કારણ કે તે રમતને મહત્વ આપે છે.- શાસ્ત્રી
ભારતનાં પૂર્વ કોચ અને દિગ્ગજમાંથી એક એવા રવી શાસ્ત્રીએ હાર્દિક પંડ્યાને લઈને મોટું નિવેદન આપ્યું છે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે હાર્દિક આવતા વર્ષે ભારતમાં રમવામાં આવનાર વર્લ્ડ કપ પછી વનડે ક્રિકેટમાંથી સન્યાસ લઇ શકે છે. પૂર્વ ઓલરાઉન્ડરે કહ્યું હતું કે ભવિષ્યમાં ખેલાડીઓ અન્ય ફોર્મેટ કરતાં એકને પસંદ કરી શકે છે. શાસ્ત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જયારે થોડા દિવસ પહેલાં જ ઈંગ્લીશ ઓલરાઉન્ડર બેન સ્ટોકસ 31 વરની ઉંમરે વનડેને અલવિદા કહી દીધું હતું.
શાસ્ત્રીએ આ વિશે એક પત્રકાર સાથે વાટ કરતા જણાવ્યું હતું કે, 'ભવિષ્યમાં પંડ્યા તેનું આખું ધ્યાન ટી20 ક્રિકેટ પર લગાવી શકે છે અને ફક્ત પંડ્યા જ નહિ પણ બીજા ઘણાં ખેલાડીઓ અન્ય બધા ફોર્મેટ કરતાં એકને પસંદ કરી શકે છે.' આ દિવસોમાં ફરી કોમેન્ટ્રી તરફા પાછા ફરેલ શાસ્ત્રીએ કહ્યું હતું કે 'ટેસ્ટ ક્રિકેટ હંમેશા રહેશે કારણ કે તે રમતને મહત્વ આપે છે. પરંતુ હવે તમારી પાસે એવા ખેલાડીઓ છે જેમણે તેમના ફોર્મેટ પસંદ કરવાનું શરૂ કરી દીધું છે.'
આગળ એમને કહ્યું હતું કે, 'હાર્દિક પંડ્યાને જોઈ લો. એ ટી20 મેચ જ રમવા માંગે છે. હાર્દિક આ વાતને લઈને ઘણાં સ્પષ્ટ છે અને એ વિશે હું બીજું કઈ નથી કહેવા માંગતો.' રવી એ આગળ કહ્યું હતું કે એ 50-50 એટલા માટે રમે છે કારણકે તેનું આવનાર આયોજન આ વર્ષે ભારતમાં થવા જઇ રહ્યું છે. ટુર્નામેન્ટ પછી એ તેને ગમતું ફોર્મેટ પસંદ કરશે. હાર્દિક પછી બીજા ખેલાડીઓ પણ અન્ય ફોર્મેટ પસંદ કરવાનું શરૂ કરશે અને જો તેઓ આમ કરશે તો એમને કોઈ નહીં રોકી શકે કારણ કે એમને આમ કરવાનો દરેક અધિકાર છે. જ્યાં સુધી વિશ્વના તમામ દેશો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘટાડો કરવા માટે એકસાથે નહીં આવે ત્યાં સુધી ક્રિકેટરો અમુક ફોર્મેટ છોડવાનું ચાલુ રાખશે.