ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની વાપસીની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ન્યૂઝીલેન્ડ સામેની ટીમની પસંદગી પહેલા પંડ્યા ફિટનેસ ટેસ્ટમાં ફેલ થઈ ગયો છે. 24 જાન્યુઆરીથી શરૂ થનારા ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે રવિવારે ટીમની જાહેરાત કરવામાં આવશે. ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડમાં 5 ટી20, 3 વનડે અને બે ટેસ્ટ મેચ રમશે.
ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયો આ ક્રિકેટક
ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં નહીં જઈ શકે
આ ખેલાડી ઈજાને કારણે ટીમ ઈન્ડિયાથી છે બહાર
પીઠની ઈજાને કારણે હાર્દિક પંડ્યા 4 મહિનાથી ટીમ ઈન્ડિયાથી બહાર છે, પરંતુ એવી આશા હતી કે, આ વખતે તે ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ટીમમાં સામેલ થશે. પરંતુ હાર્દિક પંડ્યા ફિટનેસ ટેસ્ટ પાસ કરી શક્યો નહીં. તેને સર્જરીમાંથી રિકવર થવામાં હજુ થોડો સમય લાગશે.
ફિટનેસ ટેસ્ટમાં ફેલ થવાથી ન થયું સિલેક્શન
શનિવારે મુંબઇમાં ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ થયા પછી પંડ્યાને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં સિલેક્ટ કરવામાં આવ્યો નહીં. હવે તેની જગ્યાએ તમિળનાડુના કેપ્ટન વિજય શંકરને ભારત એ ટીમમાં સામેલ કરશે અને તે ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે રવાના થઈ ગયો છે. ત્યાં ટીમ ન્યૂઝીલેન્ડ એ ટીમની સાથે 3 લિસ્ટ-એ મેચ રમશે. જોકે, ટીમની પસંદગી કરતી વખતે પસંદગીકારો એ વાતને પણ ધ્યાનમાં રાખશે કે આ વર્ષે ટી20 વર્લ્ડ કપ પણ યોજાશે.
શુક્રવારે શ્રીલંકા સામે ત્રીજી ટી20 મેચમાં ભારતે શાનદાર વિજય હાંસલ કર્યો હતો. આ પછી, એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે, પંડ્યાને ટીમમાં સામેલ કરવામાં આવશે પરંતુ તે ફિટનેસ ટેસ્ટ પાસ ન કરી શક્યો. જેથી આ સમયે તે ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે સંપૂર્ણ રીતે ફિટ નથી. ટી20 ટીમમાં પણ એવા જ ખેલાડીઓ હશે જે વન ડે ટીમમાં સામેલ છે. કેદાર જાધવ વન ડે ટીમમાં નબળી કડી છે, જેણે વનડેમાં સ્થાન જાળવી રાખ્યું છે, જોકે, તેની જગ્યાએ બીજા પણ ખેલાડીઓ છે.
શુભમન ગિલ ત્રીજા ઓપનરની ભૂમિકા ભજવી શકે છે
જો પસંદગીકારો ટેક્નિકલ રીતે ખેલાડી પસંદ કરશે તો અજિંક્ય રહાણે વાપસી કરી શકે છે. જ્યારે, મુંબઇના ખેલાડી સૂર્યકુમાર યાદવને પણ 5 અથવા 6 નંબર પર રમવાની તક મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, સંજુ સેમસન અને સૂર્યકુમાર ઈન્ડિયા એ ટીમમાં છે. શ્રીલંકા સામેની શ્રેણીમાં રિઝર્વમાં પસંદ કરાયેલા યુવા બેટ્સમેન શુભમન ગિલ ત્રીજા ઓપનરની ભૂમિકા ભજવી શકે છે, પરંતુ પસંદગીકારો કે.એલ.રાહુલના વર્તમાન ફોર્મ અને ટેસ્ટ ક્રિકેટના અનુભવને અવગણી શકશે નહીં. હવે એ પણ જોવાનું રહ્યું કે, પસંદગીકારો જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા સિવાય પાંચમા ઝડપી બોલર તરીકે નવદીપ સૈનીને તક આપશે કે પછી ત્રીજા સ્પિનર તરીકે કુલદીપ યાદવને તક આપશે.