બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / હાર્દિક પંડ્યા પર લટકતી તલવાર! ટીમ ઈન્ડિયા બાદ IPLમાં પણ છીનવાઈ શકે કેપ્ટનશીપ
Last Updated: 09:55 AM, 20 July 2024
T20 વર્લ્ડ કપમાં ભારતને ટ્રોફી જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર હાર્દિક પંડ્યા માટે હાલ ટીમ ઇન્ડીયામાં ઘણો બદલાવ આવ્યો છે. T20 વર્લ્ડ કપ દરમિયાન ભારતના વાઇસ કેપ્ટન રહેલા હાર્દિકને શ્રીલંકા પ્રવાસ માટે T20 ટીમની કમાન સોંપવામાં નહતી આવી અને તેની જગ્યા પર સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવા આવ્યો છે.
ADVERTISEMENT
એવામાં હવે ટીમ ઇન્ડીયાના T20 ફોર્મેટની કેપ્ટનશીપની જવાબદારીમાંથી મુક્ત થયા બાદ આઈપીએલની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ આ ઓલરાઉન્ડરને કેપ્ટન તરીકે રાખશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.
ADVERTISEMENT
હવે એ તો જાણીતું જ છે કે મુંબઈ ફ્રેન્ચાઈઝીએ IPLના સૌથી સફળ કેપ્ટન રોહિત શર્માના સ્થાને છેલ્લી સિઝન પહેલા હાર્દિકને કેપ્ટન બનાવ્યો હતો. હવે આ વર્ષે IPLનું મેગા ઓક્શન થવાનું છે અને આવી સ્થિતિમાં રોહિત મુંબઈની ટીમ સાથે રહેશે કે નહીં તે જોવાનું રહેશે. એવું કહેવાય રહ્યું છે કે હાર્દિક અને રોહિત ઉપરાંત સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહ પણ ટીમના કેપ્ટન બનવા ઈચ્છે છે.
હાર્દિક માટે સમસ્યા એ ઉભી થશે કે ટીમ ઈન્ડિયાનો નવો ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે. IPL 2025 ની મેગા ઓક્શન નજીક આવી રહ્યું હોવાથી, MIએ સૂર્યાને પણ મોટી ઓફર કરવી પડી શકે છે. MI ફ્રેન્ચાઇઝીએ સૂર્યકુમાર યાદવને ટીમમાં રાખવા માટે મોટી રકમ ખર્ચવી પડી શકે છે.
IPLની સંચાલન કમિટીએ હજુ સુધી જાહેરાત કરી નથી કે તેઓ કેટલા ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી આપશે. એવી સંભાવના છે કે ફ્રેન્ચાઇઝી એક વિદેશી સહિત ચાર ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપી શકે છે. એવામાં દરેક ફ્રેન્ચાઇઝ ટીમોએ આગામી કેટલાક વર્ષો માટે મજબૂત ટીમ બનાવવા માટે કેટલાક કડક નિર્ણયો લેવા પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
IPL 2025 / દિલધડક મેચમાં રાજસ્થાનનો પરાજય, અવેશ ખાને છેલ્લી ઓવરમાં આ રીતે બાજી પલટાવી
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.