ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી સ્પર્ધા 26 ડિસેમ્બરથી મેલબર્નમાં રમાવા જઇ રહી છે. ટીમ ઇન્ડિયા માટે ખુશીની વાત એ છે કે આગળની હરિફાઇમાં એનો જોરદાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મેદાનમાં વાપસી કરી રહ્યો છે. જો કે ટીમમાં પંડ્યાની વાપસીથી પ્લેઇંગ ઇલેવનમાં મોટી ઊથલપાથલ જોવા મળી શકે છે.
જણાવી દઇએ કે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ આગળની હરિફાઇમાં એક નવો ઓપનર બેટિંગ ઇનિંન્ગની શરૂઆત કરી શકે છે. જેમ કે પહેલા પણ કહેવામાં આવ્યું છે કે ત્રીજી ટેસ્ટમાં મયંક અગ્રવાલ રમે એવી શક્યતા વધારે છે. એટલા માટે કેએલ રાહુલ અને મુરલી કાર્તિકમાંથી કોઇક એક જઇ શકે છે.
હવે કેપ્ટન કોહલી સામે સૌથી મોટો પડકાર એ હશે કે પંડ્યાને ટીમમાં ફીટ કરવા માટે કોણે બહાર કરશે. ઓસ્ટ્રેલિયાઇ પિચોને જોતા ચાર ફાસ્ટ બોલરોને રમાડવા ટીમ ઇન્ડિયાની મજબૂરી થઇ ગઇ હતી. આ ઉપરાંત સ્પિન ડિપાર્ટમેન્ટમાં આર અશ્વિનને રમાડવો પણ જરૂરી છે.
એનો અર્થ એ થયો કે ટીમ કુલ છ બેટ્સમેન અને પાંચ બોલરોની સાથે મેદાન પર ઊતરશે. બોલિંગમાં છેડઠાડ ન કરવાના કારણે કોઇ એક બેટ્સમેનને બહાર બેસાડીને ઓલરાઉન્ડર પંડ્યાને પ્લેઇંગ ઇલેવનમાં સેટ કરવામાં આવશે.