ટીવી કાર્યક્રમમાં આપત્તિજનક નિવેદનને કારણે સસ્પેન્ડ કરાયેલા હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ માટે રાહતના સમાચાર છે. .ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ તેમના સામેની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ટીમમાં રમી શકશે તેવું BCCIના ચેરમેન સી.કે.ખન્નાએ કહ્યું છે.
ખન્નાએ આ મામલામાં વિશેષ સામાન્ય બેઠક બોલાવવાનો ઇનકાર કરી દીધો. ખન્નાએ કહ્યું કે બોર્ડ અધિકારીઓએ આ બન્ને ખેલાડીઓના વ્યવહારની તપાસ માટે લોકપાલ નિમણૂક કરવા માટે SGM બોલાવવાની માગ યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં આગામી અઠવાડિયે આ મામલાની સુનાવણી થવાની છે. ખન્નાએ બીસીસીઆઈનું સંચાલન કરી રહેલા સીઓએને પત્રમાં લખ્યું તેમને ભૂલ કરી અને તેમને પહેલાથી જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેના કારણે તેમને ઓસ્ટ્રેલિયાથી પાછા બોલાવી દેવામાં આવ્યા હતા. તેમણે શરત વગર પણ માફી પણ માંગી લીધી છે. મારો અભિપ્રાય છે કે તપાસ પડતર ચાલું રહે ત્યાં સુધી બન્ને ક્રિકેટરોને તાત્કાલિક પ્રભાવથી ભારતીય ટીમમાં સામેલ કરવા જોઇએ અને આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે બંનેને મોકલવા જોઈએ.