ટી20 વિશ્વ કપ બાદ ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 3 ટી20 અને 2 ટેસ્ટની સીરીઝ રમવાની છે. વિશ્વ કપમાં ટીમના હાલના પ્રદર્શનને જોતા ઘણા ખેલાડીઓની ટીમમાંથી છુટ્ટી થઈ શકે છે.
આ ખેલાડીઓ પર ટીમમાંથી બહાર આવવાનો ખતરો
રોહિત શર્માને આપવામાં આવી શકે છે કેપ્ટનશીપની કમાન
જાણો શું આવી શકે છે મોટો ફેરફાર
ટી20 વિશ્વ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી ફીકુ રહ્યું છે. પહેલા પાકિસ્તાન અને પછી ન્યૂઝીલેન્ડના હાથે હાર બાદ ટીમ પર વિશ્વ કપમાંથી બહાર આવવાનો ખતરો છે. ટીમની હવેની મેચ બુધવારે અફઘાનિસ્તાન સામે છે. જો તેમાં ઉલટફેર થઈ જાય છે તો પછી ટીમ ઈન્ડિયાની સફર ટૂર્નામેન્ટમાં પુરી થઈ જશે. આ વિશ્વ કપ બાદ ટીમ ઈન્ડિયાના ઘરમાં ન્યૂઝીલેન્ડના વિરૂદ્ધ 3 ટી 20 અને ટેસ્ટની સીરીઝ રમાવવાની છે આ સીરીઝ બાદ ટીમ ઈન્ડિયામાં ફેરફાર જોવા મળી શકે છે. રોહિત શર્માને ટી20 ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાંથી છુટ્ટી થઈ શકે છે.
એક રિપોર્ટ અનુસાર ફિટનેસ અને ખરાબ પરફોર્મસ આપી રહેલા પંડ્યા અને ભુવનેશ્વરની નજીકના ભવિષ્યમાં ટીમમાંથી છુટ્ટી નક્કી છે. આ ખેલાડિઓની જગ્યા પર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ઓરેન્જ કેપ જીતનાર ઋતુરાજ ગાયકવાડ અને સૌથી વધુ વિકેટ લેનારમાં શામેલ આવેશ ખાનને તક મળી શકે છે.
પંડ્યાની ખરાબ ફિટનેસથી ટીમ ઈન્ડિયાને થયું નુકસાન
ટી 20 વિશ્વ કપમાં ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શનનું કારણ હાર્દિક પંડ્યા પણ છે. ભારત પાકિસ્તાન સામે મેચ આ કારણે પણ હાર્યુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભારત તે મેચ 10 વિકેટથી હાર્યું હતું. આ મેચ વખતે પંડ્યાના ખભા પર ફરી ઈજા પહોંચી હતી. જોકે સારી વાત એ છે કે તેમની ઈજા વધારે ગંભીર ન હતી. તેમણે ન્યૂઝીલેન્ડના વિરૂદ્ધ મુકાબલામાં 2 ઓવરની બોલિંગ કરી હતી. પરંતુ ક્યાંકને ક્યાંક ઈજાની અસર તેની સ્પીડ પર જોવા મળી હતી. પંડ્યાએ 2 ઓવરમાં 17 રન કર્યા હતા. તે બેટિંગમાં પણ કંઈ ખાસ ધમાલ ન હતી કરી શક્યો. બન્ને મેચોમાં પંડ્યાની બેટિંગથી 34 રન આવ્યા.
પંડ્યાએ 1 વર્ષમાં વન ડેમાં 3 વિકેટ લીધી
આઈપીએલ 2021માં પણ પંડ્યાનું પ્રદર્શન સારી ન હતું. તેણે લીગમાં પણ બોલિંગ ન હતી કરી. તેણે 12 મેચમાં ફક્ત 127 રન કર્યા હતા. ગયા 12 મહિનામાં પંડ્યાએ 9 વન ડેમાં 329 રન બનાવવાની સાથે 56ની સરેરાશથી ફક્ત 3 વિકેટ લીધી હતી. જે તેની રમતનો કમજોર ભાગ છે. આજ સમયગાળામાં તેણે 11 ટી 20માં 26ની શરેરાશથી 208 રન બનાવ્યા હતા. તેની બોલિંગ અંદાજે 38ની રહી હતી.
ભુવનેશ્વરે IPL 2021માં ફક્ત 6 વિકેટ લીધી હતી
હાર્દિકની જેમ જ ભુવનેશ્વર પણ છેલ્લા 1 વર્ષથી ફોર્મ અને ફિટનેસની સમસ્યાથી પરેશાન છે. પાકિસ્તાન વિરૂદ્ધ ટી20 વિશ્વ કપમાં થયેલા મુકાબલામાં ભુવનેશ્વર નવી બોલિંગથી કંઈ ખાસ કમાલ ન હતા કરી શક્યા. તેમણે પહેલી જ ઓવરમાં 10 રન આપ્યા હતા. તેમણે મેચમાં 3 ઓવરમાં 25 રન આપ્યા હતા. પરંતુ હજુ પણ વિકેટ હાસિલ ન હતા કરી શક્યા.