સમગ્ર દેશની જેના પર નજર છે એવા નવા પેટ્રોલિયમ મંત્રીએ પેટ્રોલ ડીઝલની કિંમતને લઈને જુઓ શું કહ્યું
પેટ્રોલિયમ મંત્રાલયે બાદ બીજી વાર આ મુદ્દે વાત કરી
મોંઘવારીને લઈ લોકોનો આક્રોશ દિવસેને દિવસે વધી રહ્યો છે
હાલના સમયમાં ઉર્જાના કુલ વપરાશમાં ગેસનો 15 ટકા
પેટ્રોલિયમ મંત્રાલયે બાદ બીજી વાર આ મુદ્દે વાત કરી
મોદી સરકારની નવી કેબિનેટમાં હરદીપ સિંહ પૂરીને પેટ્રોલિયમ મંત્રાલય આપવામાં આવ્યું છે. આજથી મોટા ભાગના બધા જ મંત્રીઓએ તેમને સોંપવામાં આવેલ મંત્રાલયોનો કાર્યભાર સંભાળ્યો છે. તેમના પહેલા આ મંત્રાલયની જવાબદારી ધર્મેન્દ્ર પ્રધાન પાસે હતી. હાલ સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એક નવા જ રેકોર્ડ બનાવી રહી છે. જેના કારણે દેશ ભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે.
વિપક્ષના સવાલોનો લેખિતમાં આપ્યો જવાબ
પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતને લઈ વિપક્ષે કરેલ પ્રહારને લઈ સરકારે આજે કહ્યું કે છેલ્લા એક વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર દ્વારા લાગતાં ટેક્સમાં કોઈ પણ પ્રકારની વૃદ્ધિ થઈ નથી. આ વાત તેમણે રાજ્યસભામાં લખીને જણાવી હતી. તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના વધતાં ભાવ માટે આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોમાં વધતાં ભાવ અને રાજય દ્વારા લેવામાં આવતા વેટના વધતાં ભાવ જવાબદાર છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર પણ કાચા તેલના ભાવ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તર પર વાત કરી રહી છે.
ભારત ઘરેલુ ઉત્પાદન વધારે
તેમણે આગળ જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલમાં ક્રમશ 26 જૂન 2010 અને 19 ઓકટોબર 2014 થી આ કિંમતને બજાર નિર્ધારિત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ સાર્વજનિક રીતે આંતરરાષ્ટ્રીય ઉત્પાદન અને બજારની સ્થિતિના આધારે નિર્ણય લે છે. આ દરમિયાન તેમણે કહ્યું કે આ એક એવું મંત્રાલય છે જેમાં ભારતના નાગરિકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સીધો સંબંધ રાખે છે. તેમણે કાચા તેલ અને ગેસ માટે ઘરેલુ ઉત્પાદન વધારવાની વાત કહી, સાથે જ તેમણે કહ્યું કે તેમનું વધારે ધ્યાન ભારતની ગેસ આધારિત વ્યવસ્થા બનાવવા પર હશે. કોઈ પણ અર્થ વ્યવસ્થા માટે ઉર્જા એકદમ વધુ હોય છે. હાલના સમયમાં ઉર્જાના કુલ વપરાશમાં ગેસનો 15 ટકા ભાગ છે. તેમણે કહ્યું કે હવે આ વધારીને 20 થી 30 ટકા કરવાની જરૂર છે.