અમૃતસર લોકસભા બેઠકથી ચૂંટણી હાર્યા બાદ પણ હરદીપ પુરીને મોદી કેબિનેટમાં જગ્યા મળી છે.
ગત ચૂંટણીમાં પણ આ બેઠક પરથી અરુણ જેટલીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય વિદેશ સેવાના પૂર્વ અધિકારી હરદીપ સિંહ પુરીને મોદી સરકારમાં બીજી વાર મંત્રી બનાવવામાં આવ્યા છે. ગત સરકારમાં પુરી આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયમાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) હતા.
મોદી સરકારના બીજા કાર્યકાળ માટે ગુરુવારે પુરીએ રાજ્ય મંત્રી (સ્વંતંત્ર પ્રભાર) ના રૂપે પદ અને ગોપનીયતાના શપથ લીધા. વિદેશ સેવાની 1974 બેચના અધિકારી રહેલા પુરીનો જન્મ 15 ફેબ્રુઆરી 1952માં થયો હતો. પુરી મંત્રી રાજદ્વારી વિદેશોમાં મહત્વપૂર્ણ પદો પર કાર્યરત રહ્યા છે. એમણે 2009થી 2013 સુધીમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતના સ્થાયિ પ્રતિનિધિના રૂપે કામ કર્યું છે.
હરદીપ પુરીને ઘર વિનાના લોકોને આવાસ અપાવવા, સ્માર્ટ સિટી પરિયોજના અને શહેરી ક્ષેત્રોમાં 'સ્વચ્છ ભારત અભિયાન' જેવી મોદી સરકારની મહત્વકાંક્ષી યોજનાને સફળતાપૂર્વક આગળ વધારવાના પૂરસ્કાર સ્વરૂપે બીજીવાર મંત્રીમંડળમાં જગ્યા મળી છે. હરદીપ પુરી મોદી સરકારમાં 2017માં સામેલ કરવામાં આવેલ ઉત્તરપ્રદેશના રાજ્યસભાથી સભ્ય છે.
એમને લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રૂપે પંજાબના અમૃતસર સંસદીય ક્ષેત્રથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા નહોતા. જોકે ચૂંટણી હારવા છતા ફરીવાર મોદી સરકારમાં પોતાનું સ્થાન સુરક્ષિત રાખનાર પુરી પાર્ટીમાં એક માત્ર નેતા છે. પુરીએ રાષ્ટ્રીય સુરક્ષાના મામલે ભાજપની નીતિઓની પ્રશંસા કરતા જાન્યુઆરી 2014માં ભાજપના સભ્ય બન્યા હતા.