કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં સ્પષ્ટ કરી દીધુ હતું કે દેવામાં ડૂબેલી સરકારી એરલાઈન્સ એર ઈન્ડિયાને વેચવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં કહ્યુ કે જો એર ઈન્ડિયાને વેચવામાં નહીં આવે તો બંધ કરવી પડશે.
એર ઈન્ડિયાના ખાનગીકરણ ઉપરાંત કોઈ વિકલ્પ નથી
લોકસભામાં આ બિલ માર્ચ 2020માં જ પાસ થઈ ગયું હતુ
સરકાર એર ઈન્ડિયાને કાર્યરત રાખવાની સ્થિતિમાં નથી
હકિકતમાં એક રીતે સરકારે એર ઈન્ડિયાને લઈને હાથ અધ્ધર કરી દીધા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું તે એર ઈન્ડિયાના ખાનગીકરણ ઉપરાંત કોઈ વિકલ્પ નથી. મંગળવારે એરક્રાફ્ટ સંશોધન બિલ 2020 રાજ્યસભામાં પસાર થઈ ગયું છે. લોકસભામાં આ બિલ માર્ચ 2020માં જ પાસ થઈ ગયું હતુ.
સંશોધન બિલ પાસ થતા પહેલા હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં કહ્યું કે સરકાર એર ઈન્ડિયાને કાર્યરત રાખવાની સ્થિતિમાં નથી. કંપની પર 60 હજાર કરોડ રુપિયાનું દેવું છે. સરકારની પાસે તેને ખાનગી હાથમાં સોંપવા અથવા બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. પુરીએ સદનમાં કહ્યું કે સરકાર ખાનગી ક્ષેત્રમાં તેને એટલા માટે સોંપવા માંગે છે કેમ કે તે કાર્યરત રહે.
એરક્રાફ્ટ સંશોધન બિલને હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર માટે મોકલી દેવામાં આવશે. આ બિલમાં પ્રવાસીઓની સુરક્ષા સાથે રમત કરવા પર દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ બિલને મંજુરી મળ્યા બાદ ઉડાનોમાં થયેલી લાપરવાહી પર 1 કરોડ રુપિયાનો દંડ ભરવો પડશે. આ દંડ તમામ ક્ષેત્રની એરલાઈન્સ કંપનીઓ પર લાગુ પડશે. આ બિલ 1934ની જગ્યાએ હશે. હાલા લાપરવાહી બદલ 10 લાખનો દંડ વસૂલાય છે.