રાહુલને કોસતાં કેન્દ્રીય મંત્રી હરદીપ પૂરીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
રાહુલના કેમ્બ્રિજવાળા ભાષણ પર વધ્યો વિવાદ
રાહુલને કોસતાં કેન્દ્રીય મંત્રી હરદીપ પૂરી ભાન ભૂલ્યાં
ઈશારા ઈશારામાં રાહુલને ગણાવ્યાં ગધેડા
રાહુલ ગાંધીના લંડનવાળા ભાષણ પર વિવાદ વધતો જાય છે. દેશમાં રાહુલના લોકશાહીવાળા નિવેદન પર ભાજપ તેમની માફીની માગ પર અડગ છે આ દરમિયાન કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ એક વિવાદાસ્પદ નિવેદન આપીને વિવાદ વધારે વકરાવી મૂક્યો.
If any individual goes outside the country he has the freedom to speak but along with that freedom comes what I call the need to have a sense of responsibility. We are the world's oldest democracy but Mr Gandhi goes to UK and says Indian democracy is facing an attack on the basic… https://t.co/BPO0jWp0vFpic.twitter.com/kB1xtQgtQ7
રાહુલ ગાંધીને ગધેડા ગણાવ્યાં
હરદીપ સિંહ પુરીને જ્યારે કોંગ્રેસ તરફથી વીર સાવરકરના ટ્વીટ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ઘોડાની રેસમાં ગધેડાઓનું શું કામ છે? તેમણે કહ્યું કે ક્યાં વીર સાવરકર અને ક્યાં રાહુલ ગાંધી તેમની વચ્ચે તુલના ન થઈ શકે.
કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં રાહુલે શું કહ્યું હતું
વાસ્તવમાં બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતમાં 'લોકતંત્ર પર ખતરો' છે.
હાથ જોડીને આજીજી કરું છું, સાવરકરનું અપમાન ન કરો
કાયદા પ્રધાન કિરણ રિજિજુએ કોંગ્રેસના જવાબ પર વળતો પ્રહાર કર્યો હતો અને ટ્વીટ કર્યું હતું કે, "મહેરબાની કરીને મહાન આત્મા વીર સાવરકરનું અપમાન ન કરો. હું હાથ જોડીને આજીજી કરું છું.